અયોધ્યા કેસના ચુકાદા પહેલા સુપ્રીમ કોર્ટના જજની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચીફ જસ્ટિસ સહિતની 5 જજની બેચ ચુકાદો આપવાની છે. ચુકાદા પહેલાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને Z+ સુરક્ષા આપવામાં આવી છે. દિલ્હી પોલીસની સિક્યુરિટી યૂનિટ કોર્ટની સુરક્ષા સંભાળે છે. સુપ્રીમકોર્ટ પરિસર અને જજીસના ઘરોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ચુકાદામાં શામેલ 5 જજની સુરક્ષાને લઈને તંત્રની સજ્જતા જોવા મળી રહી છે. સુપ્રીમકોર્ટ જતા તમામ રસ્તાઓ પર પણ પોલીસ નજર રાખી રહી છે.
અયોધ્યા કેસમાં 5 જજોની બેંચ આજે આપશે ચુકાદો
અયોધ્યા કેસને લઈને વધારવામાં આવી 5 જજની સુરક્ષા
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને Z+ સુરક્ષા આપવામાં આવી
અયોધ્યા કેસના ચુકાદા પહેલા સુપ્રીમ કોર્ટના જજની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચીફ જસ્ટિસ સહિતની 5 જજની બેચ ચુકાદો આપવાની છે. ચુકાદા પહેલાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને Z+ સુરક્ષા આપવામાં આવી છે. દિલ્હી પોલીસની સિક્યુરિટી યૂનિટ કોર્ટની સુરક્ષા સંભાળે છે. સુપ્રીમકોર્ટ પરિસર અને જજીસના ઘરોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ચુકાદામાં શામેલ 5 જજની સુરક્ષાને લઈને તંત્રની સજ્જતા જોવા મળી રહી છે. સુપ્રીમકોર્ટ જતા તમામ રસ્તાઓ પર પણ પોલીસ નજર રાખી રહી છે.
સુપ્રીમ કોર્ટમાં ઐતિહાસિક રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદ પર આજે ચુકાદો આવશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 જજની પીઠે આ કેસનો ચુકાદો આપવામાં આવશે. અયોધ્યા કેસની સુનાવણી કરનારા જજ કોણ છે તે જાણવું પણ જરૂરી છે.
1. જસ્ટિસ રંજન ગોગોઈ, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આ પીઠની અધ્યક્ષતા કરી રહ્યા છે. તેઓએ 3 ઓક્ટોબર 2018ના રોજ મુખ્ય ન્ય્યાધીશના શપથ ગ્રહણ કર્યા હતા. 18 નવેમ્બર 1954માં જન્મેલા જસ્ટિસ રંજન ગોગોઈએ 1978માં બાર કાઉન્સિલ જોઇન્ટ કરી. તેઓએ ગુવાહાટી કોર્ટથી શરૂઆત કરી અને સાથે જ 2001માં ગુવાહાટી કોર્ટના જજ પણ બન્યા.
ત્યારબાદ પંજાબ, હરિયાણા હાઈકોર્ટમાં 2010માં જજ તરીકે નિમાયા. 2011માં તેઓ પંજાબ- હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. 23 એપ્રિલ 2012ના રોજ જસ્ટિસ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના જજ બન્યા. ચીફ જસ્ટિસ તરીકે પોતાના કાર્યકાળમાં અનેક ઐતિહાસિક કેસને સાંભળ્યા છે અને સાથે તેમાં અયોધ્યા કેસ, NRC, જ્મ્મૂ કાશ્મીર પરની અરજીઓ પણ સામેલ છે.
2. જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (S.A.Bobde)
આ ખંડપીઠમાં અન્ય જજ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે છે. તેઓ જસ્ટિસ રંજન ગોગોઈની બાદના અન્ય ચીફ જસ્ટિસ છે. 1978માં તેઓએ બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્રને જોઈન્ટ કર્યું હતું. ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં લૉની પ્રેક્ટિસ કરી. 1998માં વરિષ્ઠ વકીલ પણ બન્યા. વર્ષ 2000માં તેઓએ બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજનું સ્થાન મેળવ્યું. મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા અને 2013માં સુપ્રીમ કોર્ટમાં જજની કમાન સંભાળી. જસ્ટિસ શરદ અરવિંદ બોબડે 23 એપ્રિલ 2021ના રિટાયર્ડ થશે.
3. જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે 13 મે 2016ના સુપ્રીમ કોર્ટના જજનો પદભાર સંભાળ્યો હતો. તેમના પિતા જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટ પહેલાં અલાહાબાદ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. જ્યારે બોમ્બે હાઈકોર્ટમાં પણ જજની કામગીરી નિભાવી ચૂક્યા છે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ દુનિયાની અનેક મોટી યુનિવર્સિટીમાં લેક્ચર આપી ચૂક્યા છે. જજના રૂપે નિયુક્ત થતાં પહેલાં તેઓ દેશના એડિશનલ સોલિસિટર જનરલ રહી ચૂક્યા છે. તેઓ સબરીમાલા, ભીમા કોરેગાંવ, સમલૈંગિકતા સહિત અનેક મોટા કેસમાં ખંડપીઠનો ભાગ રહી ચૂક્યા છે.
4. જસ્ટિસ અશોક ભૂષણ
ઉત્તર પ્રદેશથી આવનારા જસ્ટિસ અશોક ભૂષણનો જન્મ જૌનપુરમાં થયો હતો. તેઓ 1979માં યૂપીના બાર કાઉન્સિલનો ભાગ બન્યો છે. ત્યારબાદ અલાહાબાદ હાઈકોર્ટમાં વકાલતની પ્રેક્ટિસ કરી હતી. ત્યારબાદ તેઓએ અલાહાબાદ હાઈ કોર્ટમાં અનેક પદ પર કામ કર્યું અને 2001માં જજને નિયુક્ત કર્યા. 2014માં તેઓ કેરળ હાઈ કોર્ટના જજ નિયુક્ત કરાયા. 2015માં ચીફ જસ્ટિસ બન્યા હતા. 13 મે 2016ના રોજ તેઓએ સુપ્રીમ કોર્ટના જજના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો.
5. જસ્ટિસ અબ્દુલ નઝીર
અયોધ્યા કેસની બેંચમાં સામેલ જસ્ટિસ અબ્દુલ નઝીરે 1983માં વકાલત શરૂ કરી હતી. તેઓએ કર્ણાટક હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી અને પછી અહીં એડિશનલ જજ અને પરમેનન્ટ જજની રીતે કામ કર્યું. 17 ફેબ્રુઆરી 2017ના રોજ સુપ્રીમ કોર્ટમાં જજનો કાર્યભાર સંભાળ્યો.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની તરફથી આ ઐતિહાસિક કેસમાં મધ્યસ્થતાનો રસ્તો અપનાવવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તે સફળ રહ્યું નહીં. આ પછી 6 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં 40 દિવસો સુઝી રોજ સુનાવણી ચાલતી રહી. કોર્ટે અઠવાડિયામાં 5 દિવસ આ કેસને સાંભળ્યો. છેલ્લા કેટલાક દિવસોમાં સુનાવણીનો સમય એક કલાક વધારી દેવામાં આવ્યો હતો.
નોંધ- દરેક જાણકારી સુપ્રીમ કોર્ટની વેબસાઈટથી લેવામાં આવી છે.