નવરાત્રિના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નવરાત્રિની 9 તિથિ એવી હોય છે જેમાં કોઈ મૂહુર્ત જોયા વિના કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે. આ સમયે ખાસ કરીને લોકો પોતાના નવા ઘરમાં પ્રવેશ કરે છે. માનવામાં આવે છે કે નવરાત્રિ પર ગૃહપ્રવેશ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. દેવી લક્ષ્મીનો વાસ અને અનેકગણા ફળની પ્રાપ્તિ થાય છે. ગૃહપ્રવેશ કરતી સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
નવરાત્રિએ કરો નવા ઘરમાં ગૃહપ્રવેશ
ધ્યાન રાખી લો આ 10 વાતો
દેવી લક્ષ્મીના વાસની સાથે થશે અનેકગણા ફળની પ્રાપ્તિ
ગૃહપ્રવેશમાં આ ચીજોને અવશ્ય કરો સામેલ
નવરાત્રિમાં નવા ઘરમાં પ્રવેશ કરતી સમયે કળશને સાથે રાખવો. કળશમાં આસોપાલવના પાન રાખો. સાથે જ તેની પર લાલ રંગના સાથિયાનું નિશાન અવશ્ય કરો.
નવરાત્રિમાં નવા ઘરમાં ગૃહપ્રવેશ કરતી સમયે કળશની સાથે નારિયેળ, હળદર, ગોળ, ચોખા અવશ્ય સાથે રાખો.
નવા ઘરમાં પ્રવેશ કરતી સમયે પતિ-પત્નીએ સાથે પ્રવેશ કરવો. નવા ઘરમાં પ્રવેશ કરતી સમયે પતિએ પોતાનો ડાબો પગ અને પત્નીએ જમણો પગ આગળ રાખવો. આમ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
નવા ઘરમાં પ્રવેશ કરતી સમયે ભગવાન ગણેશની મૂર્તિ, દક્ષિણાવર્તી શંખ અને શ્રીયંત્રની સ્થાપના પૂજા ઘરમાં કરવી જોઈએ.
નવા ઘરના ઈશાન ખૂણામાં પાણીથી ભરેલો એક કળશ અવશ્ય રાખો.
ઘરના દરેક ખૂણામાં ગંગાજળ, હળદર અને ચોખાનો છંટકાવ કરો.
નવા ઘરની રસોઈમાં ગૃહપ્રવેશ કરતી સમયે ગોળનો ટુકડો ભૂલ્યા વિના રાખો. તેનાથી ઘરનો વાસ્તુદોષ ખતમ થશે.
નવા ઘરમાં ગૃહપ્રવેશના દિવસે આસપાસના કોઈ મંદિરમાં જાઓ અને ભગવાનના દર્શન બાદ ગરીબોને કંઈ પણ દાનમાં આપો.
ગૃહપ્રવેશમાં પૂજા કરાવવા આવેલા પંડિતોને ભોજન અને દાન દક્ષિણા આપો.
નવરાત્રિમાં ગૃહપ્રવેશ કરવાથી દુર્ગા સપ્તશીનો પાઠ અને રામચરિત માનસનો પાઠ શુભ ગણાય છે.