બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Know taste buds should salt chaat masala eaten on top of fruit or not?

આરોગ્ય / સ્વાદના શોખીનો જાણી લો, ફ્રુટની ઉપર મીઠું કે ચાટ મસાલો નાખીને ખવાય કે નહીં?

Ajit Jadeja

Last Updated: 09:51 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફળો ખાતા પહેલા તેને સારી રીતે ધોવા પણ જરૂરી છે. જો તમે સાવચેત ન રહો તો તમારે લાભ કરતાં વધુ નુકસાન સહન કરવું પડી શકે છે

ઉનાળો આકરો બની રહ્યો છે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. આવી ગરમીમાં ઘણા લોકો ચાટ મસાલો અને મીઠું ઉમેરીને ઘણા ફળો ખાતા હોય છે. પરંતુ તમે નહી જાણતા હોવ કે સ્વાદ વધારવાની આ પદ્ધતિ તમારા ખોરાકના પોષક મૂલ્યને ઘટાડી શકે છે.

આપણને સ્વાદવાળુ ખાવાનો ઘણો શોખ હોય છે. કોઇ પણ ફળને ખાતા પહેલા આપણે સ્વાદિષ્ઠ બનાવવા માટે ચાટ મસાલો ઉમેરીએ છીએ. સ્વાદ વધારવા માટે આપણે ઘણી વખત ખોરાકમાં એવી ભૂલો કરીએ છીએ જેનાથી તેનું પોષણ મૂલ્ય ઘટી જાય છે. જેમ કે ચામાં ખાંડ અને દૂધ ઉમેરવું, દહીંમાં મીઠું અથવા ખાંડ ઉમેરવી અથવા ફળોમાં ચાટ મસાલો અને મીઠું ઉમેરવું. ફળો તંદુરસ્ત આહારનો એક ભાગ છે. તેમાં આવા ઘણા એન્ટી ઓક્સિડેન્ટ જોવા મળે છે જે આપણા શરીર માટે જરૂરી છે. ઘણા લોકો તેમાંથી ફ્રુટ સલાડ બનાવે છે. તો કેટલાક લોકો આ રીતે પણ ખાય છે. અહીં જાણો ફળ ખાતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

મીઠું ઉમેરવાના ગેરફાયદા

ઉનાળાની ઋતુ છે ત્યારે ગરમી પણ વધુ પડી રહી છે. તરબૂચ ખાતી વખતે ઘણા લોકો તેની ઉપર કાળું મીઠું અથવા ચાટ મસાલો નાખે છે. કેટલાક લોકો તરબૂચ પર ખાંડ નાખીને ખાય છે. શું તમે જાણો છો કે આમ કરવાથી તમે તેના પોષક તત્વોનો નાશ કરી રહ્યા છો? જ્યારે આપણે ફળો પર મીઠું અથવા ખાંડ નાખીએ છીએ, ત્યારે તે વધુ પાણી છોડે છે. આવી સ્થિતિમાં પાણીની સાથે તેની અંદર રહેલા ઘણા પોષક તત્વો પણ બહાર નીકળી જાય છે. જો તમે સ્વાસ્થ્ય માટે ફળો ખાતા હોવ તો તમને ઓછો ફાયદો થશે.

ફળો ધોઈને ખાવા જરૂરી

આજકાલ મોટાભાગના ફળો પર ખતરનાક જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવે છે. ફળો ખાતા પહેલા તેને સારી રીતે ધોવા પણ જરૂરી છે. જો તમે સાવચેત ન રહો તો તમારે લાભ કરતાં વધુ નુકસાન સહન કરવું પડી શકે છે. ફળોને થોડીવાર પાણીમાં પલાળી રાખો. તેમને ઓછામાં ઓછા 20 મિનિટ માટે મીઠું, ખાવાનો સોડામાં રહેવા દો. આ પછી સાદા પાણીથી ધોઈ લો અને પછી ફળોને ખાવા જોઇએ.

આ પણ વાંચોઃ પેટની ગરબડને નજરઅંદાજ કરવાની કોશિશ ન કરતાં, હોઈ શકે છે ખતરનાક બીમારી, જાણી ધબકારા વધશે

કિડનીને નુકશાન થઇ શકે છે

મીઠું ઉમેરવાથી ફળોમાં સોડિયમનું પ્રમાણ વધે છે. ફળોમાં ઘણાં ખનિજો હોય છે અને તેને વધારાના મીઠાની જરૂર હોતી નથી. આવું કરવાથી તમારી કિડનીને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને જો તમને કિડની સંબંધિત સમસ્યા હોય તો આ ન કરો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Chaat masala Health Summer fruits lifestyle news ચાટ મસાલો પોષક તત્વો ફળો હેલ્થ Lifestyle news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ