માતાના એક ઝલકના દર્શન કરવા માટે મંદિરની બહાર ભક્તોની લાંબી લાઇનો લાગે છે અને તેમાં પણ શક્તિપીઠ હોય તો તેની વાત જ અલગ હોય છે. માતા ભક્તોના તમામ દુખો દૂર કરે છે પરંતુ આ શક્તિપીઠ એવું છે જ્યાં હિન્દુ અને મુસ્લિમ બન્ને ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે.
જી હા વાત કરી રહ્યા છીએ ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં આવેલા મંદિરના મહિમા વિશે વાત કરીશું. મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં અહીં આવેલું હિંગળાજ માતાનું મંદિરની ઘણી આસ્થા છે. પાકિસ્તાન પહેલા ભારતનો જ એક ભાગ હતું પણ આજે તે અલગ દેશ બની ગયો છે. સામાન્ય રીતે ભારત અને પાકિસ્તાનના રાજકિય અને સામાજિક સંબંધોમાં ખટરાગ જોવા મળે છે પણ અહીં આવેલા મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે.
ભારતમાં ચારણ વંશના પહેલા દેવી હિંગળાજ માતાના ઘણાં મંદિરો આવેલા છે પણ 52 શક્તિપીઠોમાંથી એક આ મંદિર પાકિસ્તાનના કરાચીથી 120 કિલોમીટર દૂર હિંગળા નદીના તટ પર આ મંદિર આવેલું છે.
આ મંદિર પાછળ એવી માન્યતા છે કે પોતાના પિતા દક્ષ દ્વારા અપમાનિત થઈને દેવી સતી જ્યારે આત્મદાહ કરી રહ્યા હતા ત્યારે ભગવાન શિવને ક્રોધમાં આવીને સંસારથી વૈરાગ્ય લઈ લીધું હતું. તેઓ સતીના શબ કો હંમેશા પોતાના ખભા પર રાખીને બ્રહ્માંડના ચક્કર લગાવતા રહ્યા હતા. જ્યાં જ્યાં સતિના શબના અંગ પડ્યા હતા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ હતી.
માન્યતા એવી છે કે જે ક્ષેત્રમાં આજે હિંગળાજ દેવીનું મંદિર સ્થાપિત છે ત્યાં સતી દેવીનું માથું પડ્યું હતું. આ સિદ્ધ મંદિરની યાત્રા કરવા માટે તમારી પાસે બે વિકલ્પ છે- ક્યાં તો તમે પહાડી વિસ્તારથી યાત્રા કરો અથવા તો પછી મરુસ્થલીથી. આ વિસ્તારની પાસે હિંગળા નદી અને ચંદ્રકૂપ પહાડ છે. આ મંદિરમાં પરિક્રમા કરવા માટે બહુ મોટી ગુફા પણ છે.
આપને જણાવી દઈએ કે અહીં માત્ર હિન્દુ જ નહીં પણ મુસ્લિમ ધર્મના લોકોને પણ ઊંડી આસ્થા છે. અહીં મુસલમાનોના નાની પીરનું સ્થાન પણ છે.એવું કહેવાય છે કે હિન્દુ ચાર ધામની યાત્રા કરી કાશીના પાણીમાં સ્નાના કરી લે અયોધ્યામાં મંદિરમાં પૂજા-પાઠ કરી લે પણ જો આ હિંગળાજ માતાના મંદિરમાં દર્શન કરી લે તો આ બધા દર્શન અને યાત્રાનું પુણ્ય એક જગ્યાએથી મળી જાય છે.
આસ્થાની સામે કોઈ તર્ક-વિતર્કની સંભાવના નથી રહેતી. વિશ્વાસ હોય તો પત્થરમાં પણ ઈશ્વર દેખાઈ જાય છે. આમ પણ આ મંદિર હિન્દુ-મુસ્લિમની એકતાનું પ્રતીક બની ગયું છે. તેની માન્યતા અને આસ્થાના ચમત્કારને અહીં આવનારા શ્રદ્ધાળુ જ અનુભવી શકે છે.