ઘરની દીવાલો પર જ્યારે ગરોળી ફરતી દેખાય ત્યારે નાના મોટા સૌ પરેશાન થઈ જાય છે. કોઈને તેનાથી ડર લાગે છે તો કોઈને ગરોળીને જોઈને ચિતરી ચડે છે. ઘરમાં બધાંની નજર ગરોળી પર ટકેલી હોય છે કે તે ક્યાંક નીચે ન પડી જાય. ત્યારે ભોજનમાં જો ગરોળી પડી જાય તો તે ઝેરી થઈ જાય છે. તો આજે અમે તમને ગરોળીને દૂર કરવાનો એકદમ સચોટ ઉપાય જણાવી રહ્યાં છીએ.
ઘરમાં ભૂલથી પણ નહીં આવે ગરોળી
ગરોળીને ભગાડવાના આ છે સચોટ ઉપાય
એકવાર કરશો તો માની જશો
ખૂણાઓમાં ડુંગળી કે લસણ રાખો
લસણ અને ડુંગળીની સ્મેલ તેજ હોય છે. જેથી ગરોળી તેની નજીક આવતી નથી. એવામાં તમે ઘરના બલ્બ પર દોરીમાં ડુંગળી બાંધી દો અથવા ઘરના ખૂણાઓમાં ડુંગળી અઅને લસણના કટકા મૂકી દો તો ગરોળી બિલકુલ નહીં આવે.
નેપ્થલીન બોલ્સ
ગરોળી સહિત નાના નાના જીવજંતુઓને પણ દૂર કરવામાં નેપ્થલીન બોલ્સ કારગર છે. તમે જ્યાં ગરોળી આવતી હોય ત્યાં તેને મુકી શકો છો.
ઈંડાના છિલકા
જો તમે ઈંડા ખાઈને તેના છિલકા ફેંકી દો છો તો હવે એવું ન કરતાં. ઈંડાના છિલકાની ગંધથી ગરોળી આવતી નથી. જેથી ઈંડાના છિલકા ગરોળી આવતી હોય ત્યાં મૂકી દેવા.
કોફી પાઉડર
કોફી પાઉડરને તમાકુ કે કાથામાં મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. પછી તેની નાની નાની ગોળીઓ બનાવી જ્યાં ગરોળી આવતી હોય ત્યાં મૂકી દો. તેની સ્ટ્રોન્ગ સ્મેલથી ગરોળી નહીં આવે.
કાળા મરી
1 ચમચી કાળા મરી લઈને તેને બારીક પીસી લો. પછી 1 કપ પાણીમાં મિક્સ કરી તેને સ્પ્રે બોટલમાં ભરી દો અને જ્યાં ગરોળી આવતી હોય ત્યાં સ્પ્રે કરી દો.