જયા પ્રદાને પાર્ટીમાં લાવવાની પાછળ અમર સિંહની મોટી ભૂમિકા હતી. જયા પ્રદા પણ અમર સિંહને દોસ્ત અને રાજકારણ ગુરુ માનતી રહી છે. જયા પ્રદાએ ખુદે જણાવ્યું કે કેવી રીતે લોકોએ એનું અને અમર સિંહનું નામ જોડ્યું.
રામપુર લોકસભા સીટથી સપા ઉમેદવાર આઝમ ખાનના ભાજપ ઉમેદવાર જયા પ્રદા પર આપવામાં આવેલા નિવેદનને લઇને વિવાદ વધતો જાય છે. અમર સિંહે જયાપ્રદા અને આઝમ ખાનના વિવાદમાં કૂદતા આઝમ ખાનને રાક્ષસ પ્રવૃત્તિ જણાવી અને કહ્યું કે આઝમ ખાન મહિલાઓનું અપમાન કરે છે. આવું પહેલી વખત નથી, જ્યારે અમર સિંહે જયા પ્રદાનું સમર્થન કર્યું હોય. અમર અને જયાના સંબંધો માટે ચર્ચા સતત રાજકારણમાં બનેલી રહે છે. જાણો, જયા પ્રદા અને અમર સિંહની વચ્ચે શું છે સંબંધ?
માનવામાં આવી રહ્યું છે કે જયા પ્રદાને પાર્ટીમાં લાવવાની પાછળ અમર સિંહની મોટી ભૂમિકા હતી. જયા પ્રદા પણ અમર સિંહને દોસ્ત અને રાજકારણ ગુરુ માનતી રહી છે. જયા પ્રદાએ ખુદે જણાવ્યું કે કેવી રીતે લોકોએ એનું અને અમર સિંહનું નામ જોડ્યું. અમર સિંહની સાથે લિંકઅપને લઇને એક વખત જયા પ્રદાએ કહ્યું હતું હું અમર સિંહને મારા 'ગોડફાધર' માનું છું જો કે હું એમને રાખડી બાંધી દઉં તો પણ મારી એમના માટેની વાતો બનવાનું બંધ થશે નહીં.
એક અન્ય તક ત્યારે સામે આવી જ્યારે જયા પ્રદાએ જણાવ્યું કે 'મારી લાઇફમાં મને ઘણા બધાએ મદદ કરી છે. અમર સિંહ એમાંથી એક હતા. વાત એ સમયની છે જ્યારે અમર સિંહ ડાયાલિસિસ પર હતા અને એમની સાથેના મારા ફોટાનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો. હું રડી રહી હતી અને કહી રહી હતી કે મારે વધારે જીવવું નથી, હું આત્મહત્યા કરવા ઇચ્છું છુ. ડાયાલિસિસથી આવવા પર માત્ર અમર સિંહ જી મારી સાથે ઊભા રહ્યાસ મારું સમર્થન કર્યું.'
ગત વર્ષે ઓક્ટોબરમાં જ અમર સિંહે પણ 'મી ટૂ' ને લઇને ફિલ્મ અભિનેત્રી જયા પ્રદા અને યૂપીના પૂર્વ મંત્રી આઝમ ખાન પર એવી વાત કહી દીધી હતી, જેની પર વિવાદ ઊભો થઇ ગયો હતો. નેતાઓ પર લાગી રહેલા આરોપોને લઇને અમર સિંહે કહ્યું કે જો ફિલ્મ અભિનેત્રી જયા પ્રદા 'મી ટૂ' કહી દે તો આઝમ ખાનને જેલ જવું પડી શકે છે.