કાર્ડ ટોકનાઈઝેશનથી મોબાઈલ એપ, મર્ચેંટ, પેમેન્ટ એગ્રીગેટર્સ તમારી ડેબિટ અથવા ક્રેડિટ સાથે જોડાયેલી જાણકારી જેવી કે સીવીવી કોડ અથવા અક્સપાયરી ડેટ વગેરે સેવ નહીં કરી શકે.
1 ઓક્ટોબરથી લાગુ થયું ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ટોકનાઈઝેશન
ટોકનાઈઝેશન બાદ ગ્રાહકોના કાર્ડની ગુપ્ત જાણકારી સુરક્ષિત રહેશે
પહેલા ગ્રાહકોના કાર્ડની ડિટેલ્સ ઓનલાઈન સાઈટ્સ પર સેવ થતી હતી
ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ટોકનાઈઝેશન વિશે તમે જરૂર સાંભળ્યું હશે. 1 ઓક્ટોબરથી આ દેશભરમાં લાગુ થઈ ગયું છે. પરંતુ શું તમે જાણો છો કે તેના શું મહત્વના ફાયદા છે. RBIની આ પહેલથી કાર્ડ ધારકોને પોતાનો ડેટા સુરક્ષિત રાખવામાં મદદ મળશે. તેનો હેતુ ગ્રાહકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવતી વખતે અથવા તેના બાદ વધુ સુરક્ષા અપાવવાનો છે.
કાર્ડ ટોકનાઈઝેશન મોબાઈલ એપ, મર્ચેંટ, પેમેન્ટ એગ્રીગેટર્સ તમારી ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલી જાણકારીઓ જેવી કે સીવીવી કોડ અથવા એક્સપાયરી ડેટ વગેરેને સેવ નહી કરી શકે. આવો જાણીએ કાર્ડ ટોકનાઈઝેશનના ફાયદા અને તેના સાથે જોડાયેલી સંપૂર્ણ પ્રોસેસ.
જાણો શું છે ટોકનાઈઝેશન?
ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની ડિટેલ્સને એક યુનિક વૈકલ્પિક કોડથી બદલવું ટોકનાઈઝેશન કહેવાય છે. આ કોડના અસાઈન થયા બાદ દર વખતે કાર્ડથી લેવડ દેવડ કરતી વખતે તેનો નંબર, સીવીવી અને એક્સપાયરી ડેટ જેવી જાણકારી નોંધવાની જરૂર નહીં રહે. સાથે જ જે વેબસાઈટથી તમે શોપિંગ કરી રહ્યા છો અને તમારો ડેટા લીક થઈ જાય છે તો હવે તમારી ખાનગી જાણકારીની સાથે ચેડા નહીં થાય. કારણ કે તે કંપનીના સર્વર અથવા સાઈટ પર તમારો ડેટા સેવ નથી થયો.
પહેલા કેમ અસુરક્ષિત હતો ગ્રાહકોના કાર્ડનો ડેટા?
આ પ્રોસેસના આવવા પહેલા કાર્ડધારકોના ડેટા મોબાઈલ એપ, ઓનલાઈન શોપિંગ સાઈટ્સ અને એગ્રીગેટર્સની વેબસાઈટ પર સેવ થઈ જતો હતો અને આ સાઈટ્સનો ડેટા લીક થવાની સ્થિતિમાં ગ્રાહકોની ખાનગી જાણકારી ખોટા હાથમાં જવાનો ખતરો રહેતો હતો જેનાથી સાઈબર ક્રાઈમની આશંકા વધી જતી હતી. પરંતુ કાર્ડ ટોકનાઈઝેશન પ્રોસેસના આવ્યા બાદ તેની સંભાવના લગભગ ખતમ થઈ ગઈ છે.