મોદી સરકારના મંત્રીઓએ શપથગ્રહણ કર્યા છે. ત્યારે મોદી સરકારમાં એક મંત્રી એવા પણ છે જેને સાદગીભર્યા મંત્રી માનવામાં આવે છે. ઓડિશાની બાલાસોર લોકસભા બેઠકથી ચૂંટણી જીતેલા પ્રતાસચંદ સાંરગી અત્યંત સાદગી ભરી જિંદગી જીવે છે. તેમણે સાવ નહિવત ખર્ચે ચૂંટણી લડીને કરોડપતિ ઉમેદવારને હરાવ્યા હતા. સારંગીએ આ ચૂંટણીમાં BJDના ઉમેદવાર રવિન્દ્ર કુમાર જેનાને હરાવ્યા હતા. પ્રતાપચંદ સારંગીને લોકો ઓડિશાના મોદી તરીકે ઓળખે છે. તેમણે ઓટો અને સાયકલ પર બેસીને પોતાનો પ્રચાર કર્યો હતો. જ્યારે સામે પક્ષે ગાડીઓના કાફલા સાથે પ્રચાર કરવામાં આવ્યો હતો. તેમ છતા તેમની હાર થઈ હતી. મહત્વનું છે કે, તેઓ બે વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ પણ તેમની સાદગી યથાવત રહી હતી.
ચૂંટણીમાં એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો નથી
ઓરિસ્સામાં મિસાઇલ ટેસ્ટિંગ માટે પ્રસિદ્ધ બાલાસોર લોકસભા ક્ષેત્રથી આ વખતે ભાજપ પ્રતાપચંદ્ર સાંરગી સાંસદ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એમને પોતાના હરિફ કરોડપતિ ઉમેદવાર બીજદના રવિન્દ્ર કુમાર જેનાને હરાવ્યા. દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણીમાં એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો નથી. મંગળવારે તેઓ સંસદ ભવન પહોંચ્યા તો એમને મળવા દરેક લોકો ઉત્સુક હતા.
સન્યાસિઓની જેમ જીવન વ્યતીત કરે છે
64 વર્ષના સારંગી આજે પણ સાઇકલ જ ચલાવે છે. લોકો એમને ઓડિશાના મોદી કહે છે. એ ભાજપના રાષ્ટ્રીય કાર્યકરિણીના સભ્ય છે. એમની ઓળખ સામાજિક સરોકારના કાર્યોથી છે. તેઓ અપરણીત છે, એક નાના ઘરમાં રહે છે અને સન્યાસિઓની જેમ જીવન વ્યતીત કરે છે. બાલાસોરમાં સાંસદ તરીકે પસંદ થયા બાદ સોશિયલ મીડિયા પર એમનું નામ પણ પ્રમુખતાથી ટ્રેન્ડ કરતા રહ્યા છે.
પ્રતાપચંદ્ર સારંગીને બાળપણથી જ અધ્યાત્મ તરફ ઝુકાવ રહ્યો. એ રામકૃષ્ણ મઠમાં સંન્યાસી બનવા ઇચ્છતા હતા. એટલા માટે ઘણી વખત પશ્વિમ બંગાળમાં હાવડા સ્થિત બેલૂર મઠમાં રહી ચૂક્યા છે. મઠને જ્યારે જાણ થઇ કે સારંગીના માતા જીવિત છે અને વિધવા છે, તો એમને સારંગીને આગ્રહ કર્યો કે એ ઘરે પરત ફરીને એમની મા ની સેવા કરે.
તેઓ 2004 અને 2009માં ધારાસભ્ય તરીકે પસંદ થયા છે. 2014માં ચૂંટણી લડ્યા પરંતુ હારી ગયા હતા. આ વખતે એમને 2014માં જીતેલા બીજદ જનતા કા દળના રવિન્દ્ર કુમાર જેમને 12,956 વોટોથી માત આપી. ટ્વિટર પર એમની એક પોસ્ટ કોઇ યૂઝરે 24 મે શેર કરી હતી. એને 3600થી વધારે વખત રિટ્વિટ કરવામાં આવી છે.