દેશભરમાં આજે સ્વંતત્રતા દિવસની જોરશોરથી ઉજવણી કરવામાં આવી છે, આજે ફરી એક વખત પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો.
શું તમે જાણો છો કે લાલ કિલ્લા, રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન, તમામ સરકારી બિલ્ડિંગ પર, આપણી સેના દ્વારા ફ્લેગ હોસ્ટિંગના સમયે ત્યાં સુધી કે વિદેશમાં રહેલી ઇન્ડિયન એમ્બસીસમાં ફરકાવવામાં આવતો રાષ્ટ્ર ધ્વજ ક્યાં બને છે? તેની કિંમત કેટલી હોય છે અને તેને ખરીદવા માટે કેટલા સમય પહેલા ઓર્ડર આપવામાં આવે છે? જો તમે નથી જાણતા, તો અમે તમને જણાવીશું કે, કર્ણાટકના હુબલીમાં તૈયાર કરવામાં આવે છે અને તેના માટે ખાદીનું કપડું બાલાકોટ જિલ્લાના તુલસીગેરી ગામમાં બનાવવામાં આવે છે.
કર્ણાટકના ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘ એટલે કે kKGSS આ રાષ્ટ્રધ્વજ બનાવે છે. kKGSS ની સ્થાપના 1957માં થઇ અને તેણે 1982થી ખાદી બનાવવાની શરૂઆત કરી. 2005-06માં તેણે બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટૈડર્ડ્સ (BIS) થી સર્ટિફિકેટ મળ્યુ અને રાષ્ટ્રીય ધ્વજ બનાવવાની શરૂઆત કરી. દેશમાં જ્યાંપણ સત્તાવર રીતે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવામાં આવે છે, તે અહીંયા જ બને છે. વિદેશમાં રહેલી ઇન્ડિય એમ્બસીસ માટે પણ અહીંયા જ બને છે. આ સિવાય ખાનગી સંસ્થાઓ પણ જરૂર મુજબ ઓર્ડર આપી અહીંયાથી રાષ્ટ્રીય ધ્વજ મંગાવી શકે છે.
ફ્લેગ કોડ અનુસાર, રાષ્ટ્ર ધ્વજનો આકાર 3:2 હોવો જોઈએ. આ સંસ્થા 11 અલગ-અલગ આકારમાં બનાવવામાં આવે છે. જેમકે વીવીઆઇપી ફ્લાઇટ માટે 450×300 મિલીમીટર, મંત્રીઓની ગાડીઓ માટે 225×150 મિલીમીટર, મેજ પર લગાવવા માટે 150×100 મિલીમીટર. રાષ્ટ્રધ્વજની કિંમત 200 રૂપિયાથી લઇને 17800 રૂપિયા સુધીની હોય છે.
લાલ કિલ્લા પર ફરકાવાતો તિરંગો 6 તબક્કામાં થાય છે તૈયાર:
લાલ કિલ્લા પર ફરકાવાતો તિરંગો 12×8 ફૂટનો હોય છે. તેને છ તબક્કામાં બનાવવામાં આવલે છે. પહેલા હાથથી કાપવામાં આવે છે. પછી ગૂંથણી, રંગકામ, ચક્રનું છાપકામ, સિલાઇ અને પેકિંગ કરવુ પડે છે. સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ફરકાવવા માટે રાષ્ટ્ર ધ્વજનો ઓર્ડર લગભગ 2 મહિના મળી જાય છે.
આટલા લોકો કરે છે મહેનત:
- દોરા બનાવવાથી લઇને રાષ્ટ્ર ધ્વજની પેકિંગ સુધી 250 લોકો કામ કરે છે જેમાં માત્ર 15-20 પુરુષો છે, બાકી મહિલાઓ જ છે. વાર્ષિક 20000 રાષ્ટ્રીય ધ્વજ બનાવવામાં આવે છે, જ્યારે ગણતંત્ર અને સ્વતંત્રતા દિવસ પર તેની ડિમાન્ડ વધી જાય છે.