પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા એટલે કે 2000ના 3 હપ્તા મોકલવામાં આવે છે. તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.
ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા મોકલવામાં આવે છે
પરંતુ શું પતિ-પત્ની બન્ને લઈ શકે આ યોજનાનો લાભ?
જાણો કિસાન સન્માન નિધિ યોજના વિશે બધુ જ
કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોને સશક્તિ બનાવવા અને તેમની આવક બમણી કરવા લાગેલી છે, આ માટે ઘણી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા ખેડૂતોને સીધો લાભ મળી રહ્યો છે. આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોના હિત માટે ઘણી વખત ચર્ચા કરી છે.
શું છે યોજના?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Yojana) યોજના પણ આ પ્રકારની યોજના છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા એટલે કે 2000ના ત્રણ હપ્તા મોકલવામાં આવે છે.
આ પ્લાનમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. અરજીથી પાત્રતા સુધી ઘણા નવા નિયમો બદલાયા છે. હવે પતિ-પત્ની બંને માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવાને લઈને લોકોમાં અલગ-અલગ અભિપ્રાય છે. તેના વિશેની સ્પષ્ટ જાણકારી આ પ્રમાણે છે....
શું છે નવા નિયમ?
PM કિસાન યોજનાનો લાભ એવા નાના અને સીમાંત ખેડૂત પરિવારોને મળે છે જેમની પાસે 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન છે. નિયમો અનુસાર ખેડૂત તેની ખેતીની જમીનનો ઉપયોગ ખેતીના કામ માટે નહીં પરંતુ અન્ય કામો માટે કરી રહ્યો છે. અથવા અન્યના ખેતરોમાં ખેતીનું કામ કરે છે. આ સિવાય ખેતરો તેમના નથી. જો ખેતર તેમના પિતા કે દાદાના નામે હોય તો આવા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લેવા માટે હકદાર નથી.
શું બંનેને લાભ મળશે?
પીએમ કિસાન યોજનાને લઈને અનેક પ્રકારના દાવા કરવામાં આવે છે. આમાંનો એક દાવો એ છે કે પતિ અને પત્ની બંને આ યોજનાનો લાભ લઈ શકે છે. એટલે કે હવે બંનેને 2-2 હજાર રૂપિયા મળશે. પીએમ કિસાન યોજનાના નિયમો અનુસાર, પતિ અને પત્ની બંને પીએમ કિસાન યોજનાનો લાભ લઈ શકતા નથી.
તમામ હપ્તા વસૂલ કરવામાં આવશે
જો કોઈ પતિ-પત્ની આવું કરતા જોવા મળે તો તેને ફ્રોડ ગણવામાં આવશે. આ સાથે સરકાર તેની પાસેથી તમામ હપ્તા વસૂલ કરશે. જો અપાત્ર ખેડૂતો આ યોજનાનો લાભ લે છે. તો તેમણે સરકારને તમામ હપ્તા પરત કરવાના રહેશે. આ યોજનાના નિયમો હેઠળ, જો કોઈ ખેડૂત પરિવારમાં ટેક્સ ચૂકવે છે. તો તેને આ યોજનાનો લાભ મળશે નહીં.