ઘણાં લોકોને આજકાલ દાંત સંબંધી સમસ્યાઓ વધી ગઈ છે. જેની પાછળનું કારણ દાંતની દેખભાળ ન કરવી, વધુ શુગર અને એસિડિક ફૂડ્સ ખાવા અને યોગ્ય રીતે દાંતની સફાઈ ન કરવી હોય શકે છે. આવી બેદરકારીથી દાંત ખરાબ થવા લાગે છે. તેનાથી દાંત નબળાં થવા, દાંતમાં સડો થવો અને મોંનું સ્વાસ્થ્ય ખરાબ થવાના ચાન્સિસ વધી જાય છે. જેથી દાંતને સ્વસ્થ, સાફ અને ડાઘમુક્ત રાખવા માટે તમે સરસિયાના તેલના કેટલાક બેસ્ટ ઉપાય કરી શકો છો. જેના વિશે આજે અમે તમને જણાવીશું.
દાંતની દરેક સમસ્યાને દૂર કરશે સરસિયાનું તેલ
શિયાળામાં ખાસ અજમાવો આ ઉપાય
આ ઉપાય દાંતનો સડો, દુર્ગંધ કરશે દૂર
સરસિયાનું તેલ, મીઠું અને બેકિંગ સોડા
આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં 1 ચમચી સરસિયાના તેલમાં ચપટી મીઠું અને પા ચમચી બેકિંગ સોડા નાખીને પેસ્ટ બનાવી લો. પછી તેને આંગળીની મદદથી અથવા બ્રશથી દાંત પર હળવા હાથે મસાજ કરો. 5 મિનિટ પછી કોગળા કરી લો. આ ઉપાય કરવાથી મોંની દુર્ગંધ દૂર થશે, પેઢામાં અથવા દાંતમાં સડો નહીં લાગે. તમે સપ્તાહમાં એકવાર આ ઉપાય કરી શકો છો.
સરસિયાનું તેલ અને મીઠું
દાંતને સાફ કરવા, પાન-મસાલા, સિગરેટના ડાઘ દૂર કરવા અને દાંત પર જામેલી પીડાશને દૂર કરવા માટે અડધી ચમચી સરસિયાના તેલમાં ચપટી મીઠું નાખીને પેસ્ટ બનાવી લો. પછી તેને આંગળીની મદદથી અથવા બ્રશથી દાંત પર હળવા હાથે મસાજ કરો. 5 મિનિટ પછી કોગળા કરી લો.
સરસિયાનું તેલ, મીઠું અને હળદર
દાંતને સાંફ કરવા માટે આ પણ એક બેસ્ટ ઉપાય છે. તેનાથી મોંના બેક્ટેરિયા, દુર્ગંધ, ડાઘ બધુ દૂર થાય છે. પેઢાંના રોગો સામે રક્ષણ મળે છે. આ ઉપાય માટે 1 ચમચી સરસિયાના તેલમાં ચપટી મીઠું અને પા ચમચી હળદર પાઉડર નાખીને પેસ્ટ બનાવી લો. પછી તેને આંગળીની મદદથી અથવા બ્રશથી દાંત પર હળવા હાથે મસાજ કરો. 5 મિનિટ પછી કોગળા કરી લો.
સરસિયાનું તેલ
સરસિયાના તેલમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે દાંતને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દાંત અને મોંના રોગોથી બચવા તમે વર્જિન સરસિયાના ઓઈલથી રોજ સવારે ઓઈલ પુલિંગ (2 ચમચી ઓઈલ મોંમાં ભરીને મોંમાં 15 મિનિટ ફેરવવું અને પછી કાઢી દેવું). આ ઉપાય તમારા દાંત અને પેઢાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.