અદાણી સમૂહ તમારા ઘરના રસોડાથી લઈને દેશના હવાઈઅડ્ડાઓ સુધી વિસ્તરેલ છે. આવો જાણીએ ક્યાં-ક્યાં ફેલાયેલ છે ગૌતમ અદાણીનું સામ્રાજ્ય.
પોર્ટથી પાવર સેક્ટર સુધી પોતાની ધમક રાખવાવાળા અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણી શુક્રવારે એક વાર ફરી રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાનીને પછાડીને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ચૂક્યા છે. પાછલા અમુક દિવસોથી આ દોડમાં ક્યારેક અંબાણી, તો ક્યારેક અદાણી આગળ-પાછળ થઇ રહ્યા છે. જણાવી દઈએ કે અદાણી સમૂહ તમારા ઘરના રસોડાથી લઈને દેશના હવાઈઅડ્ડાઓ સુધી વિસ્તરેલ છે. આવો જાણીએ ક્યાં-ક્યાં ફેલાયેલ છે ગૌતમ અદાણીનું સામ્રાજ્ય.
દુનિયાના ટોપ 10 અરબપતિઓમાં શામેલ
મુકેશ અંબાણીને પછાડ્યા બાદ ગૌતમ અદાણી એક વાર ફરી વિશ્વના 10 શીર્ષ અમીરોની સૂચીમાં પહોંચી ગયા છે. હવે અદાણી 91.2 અરબ ડોલરની નેટવર્થ સાથે 10માં નંબર પર પહોંચી ગયા છે. જ્યારે, મુકેશ અંબાણી 91.0 અરબ ડોલર સાથે 11માં સ્થાન પર આવી ગયા છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલેનીયર ઇન્ડેક્સ અનુસાર, ગુરુવારે અદાણીની સંપત્તિમાં 2.1 અરબ ડોલરની બઢોતરી થઇ. આ પહેલા ત્રણ ફેબ્રુઆરીના રોજ અદાણીએ અંબાણીને પછાડીને એશિયાના સૌથી અમીર વ્યક્તિનો ખિતાબ પોતાના નામ કર્યો હતો, પરંતુ 9 ફેબ્રુઆરીના રોજ અંબાણી ફરી તેમની આગળ નીકળી ગયા, જ્યારે એક વાર ફરી ગૌતમ અદાણીએ લાંબી છલાંગ મારતા ટોપ 10 માં જગ્યા બનાવી લીધી છે.
આમ શરુ થઇ હતી અદાણીની યાત્રા
ગૌતમ અદાણીનો જન્મ ગુજરાતના અમદાવાદમાં 24 જૂન, 1962ના રોજ થયો હતો. એક રિપોર્ટ અનુસાર, તેમનો પરિવાર અમદાવાદના પોલ ઇલાકાની શેઠ ચોલમાં રહેતો હતો. ગુજરાત વિશ્વવિદ્યાલયમાંથી બીકોમ કર્યા બાદ ગૌતમ અદાણી કારોબાર માટે મુંબઈ પહોંચ્યા તથા અહીંથી જ શરુ થઇ તેમની યાત્રા. તેમણે 1978માં હીરા બજારમાં પોતાનો હાથ અજમાવ્યો, પરંતુ તેમની કિસ્મત ચમકવાની શરુ થઇ 1981 થી જ્યારે તેમના મોટા ભાઈ તેમને પોતાના પ્લાસ્ટિકના કારોબારમાં જોડવા માટે અમદાવાદ બોલાવે છે. ત્યાર બાદ 1988 માં અદાણી એન્ટરપ્રાઈઝ લીમીટેડનો ઉદય થયો, જેણે ધાતુ, કૃષિ ઉત્પાદન તથા કપડાં જેવા ઉત્પાદકોની કમોડીટી ટ્રેનીંગ શરુ કરી.
1991 બાદ પાછળ ફરીને જોયું નથી
સાલ 1991 માં થયેલ આર્થિક સુધારાઓ થકી અદાણી ગ્રુપનો કારોબાર દિવસોદિવસ વધતો ગયો તથા તે એક મલ્ટીનેશનલ કારોબારી બનીને ઉભર્યા. 1995 ગૌતમ અદાણી માટે એક અત્યંત સફળ વર્ષ સાબિત થયું, જ્યારે તેમની કંપનીને મુંદ્રા પોર્ટના સંચાલનનો કોન્ટ્રેક્ટ મળ્યો. ગૌતમ અદાણીએ પોતાના કારોબારમાં ડાયવર્સિફીકેશનને કાયમ રાક્યું તથા 1996માં અદાણી પાવર લીમીટેડ અસ્તિત્વમાં આવ્યું. ત્યાર બાદ 10 વર્ષો બાદ કંપનીએ પાવર જનરેશનના કારોબારમાં પગલું મુક્યું. ત્યાર બાદ તેમણે પાછળ ફરીને નથી જોયું તથા ઘરના રાશાનથી લઈને કોલસાની ખાન સુધી, રેલવેથી લઈને હવાઈઅડ્ડા તથા બંદરગાહ સુધી તથા વિજળી મુહૈયા કરાવવાના કારોબારમાં પોતાની ઉપસ્થિતિ દાખલ કરાવી.
સાત કંપનીઓ શેર બજારમાં લિસ્ટ
હાલમાં જ અદાણી સમૂહની કંપની અદાણી વિલ્મર શેયર બજારમાં લિસ્ટ થઇ તથા નીવેશકોની ખૂબ ચાંદી કરાવી. આ શેયર બજારમાં લિસ્ટ થનાર અદાણી ગ્રુપની સાતમી કંપની છે. આ પહેલા અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પોર્ટ્સ તથા અદાણી પાવર લિસ્ટ થઇ ચૂકી છે. 2020ની શરૂઆતથી અદાણી ગ્રીન તથા અદાણી ટોટલ ગેસના શેયરોમાં 1000 ટકાથી વદારે ઝડપ આવી છે. જણાવી દઈએ કે અદાણી એન્ટરપ્રાઈઝ અનુસાર, સાલ 1994માં બીએસઈ તથા એનએસઆઈમાં પહેલી કંપનીના શેયર સૂચીબદ્ધ હતા. તે સમયે તેના એક શેયરની કિંમત 150 રૂપિયા હતી, પરંતુ આ માત્ર શરૂઆત હતી.
મુંદરા પોર્ટ
સાલ 1995માં અદાણી સમૂહે મુંદરા બંદરગાહનું પરિચાલન શરુ કર્યું. લગભગ 8 હજાર હેક્ટેયરમાં ફેલાયેલ અદાણીનું મુંદરા પોર્ટ ભારતનું સૌથી મોટું પ્રાઈવેટ બંદરગાહ છે. આ અદાણી સમૂહ માટે ફાયદાકારક સાબિત થયું છે.
રાશન કારોબાર
જાન્યુઆરી 1999માં અદાણી ગ્રુપે વિલ એગ્રી બીઝનેસ ગ્રુપ વિલ્મર સાથે હાથ મેળવીને ખાદ્ય તેલના કારોબારમાં પગ મુક્યો. આજે દેશમાં સૌથી વધારે વહેંચાવાવાળું ફોર્ચ્યૂન ખાદ્ય તેલ અદાણી-વિલ્મર કંપની જ બનાવે છે. કંપની લોટ, ચોખા, દાળ, ખાંડ પણ બનાવે છે.
અનાજ ભંડારણ
રાશનના ઉત્પાદકોના નિર્માણ સાથે જ સાલ 2005માં અદાણી ગ્રુપે એક બીજું મોટું પગલું ઉઠાવતા ભારતીય ખાદ્ય નિગમ સાથે મળીને દેશમાં મોટા-મોટા સાઈલોજ બનાવવાની શરૂઆત કરી. સાઈલોજમાં મોટા પાયે અનાજનું ભંડારણ થાય છે.
કોલસાની ખાણ
સાલ 2010માં અદાણીએ ઓસ્ટ્રેલીયાની એક લિંક એનર્જીથી 12,147 કરોડમાં કોલસાની ખાન ખરીદી હતી. ગેલી બેસ્ટ ક્વીન આઈલેન્ડમાં મોજુદ આ ખાનમાં 7.8 ટનના ખનીજ ભંડાર છે જે ડર વર્ષે છ કરોડ તન કોલસો પેદા કરે છે.
રક્ષા ઉપકરણ
સાલ 2015 બાદ અદાણી સમુહે સેનાને રક્ષા ઉપકરણોની આપુર્તિનું કામ પણ શરુ કરી દીધું હતું. આ સાથે જ થડા સમય બાદ અદાણીએ પ્રાકૃતિક ગેસના ક્ષેત્રમાં કારોબાર વધાર્યો. 2017માં તેમની કંપનીએ સોલાર પીવી પેનલ બનાવવાનું શરુ કર્યું.
એરપોર્ટ
2019માં અદાણી સમુહે હવાઈ અડ્ડા ક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતિ દાખલ કરી. અમદાવાદ, લખનૌ, મેંગલોર, જયપુર, ગુવાહાટી તથા તિરુવનંતપુરમ સમેત દેશના છ હવાઈઅડ્ડાઓના આધુનિકીકરણ તથા સંચાલનની જવાબદારી વર્તમાનમાં અદાણી સમૂહ પાસે છે.
અન્ય કારોબાર
જણાવી દઈએ કે ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી સમૂહ પાસે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં 74 ટકા હિસ્સેદારી છે. આ સાથે જ ગૌતમ અદાણીનો સમૂહ પ્રાઈવેટ ક્ષેત્રનો દેશનો સૌથી મોટો એરપોર્ટ ઓપરેટર, પાવર જનરેટર તથા સીટી ગેસ રિટેલર છે.