ચોમાસુ નજીક આવે એટલે વરસાદ કયારે, કયાં અને કેટલો આવશે તેની આગાહીઓ શરૂ થઈ જતી હોય છે. ખાસ કરીને વરસાદનો વરતારો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતો હોય છે.. આગાહી સાચી પડે કે ખોટી પડે તે પછીનો સવાલ છે પરંતુ હવામાનના વરતારા પર ખેડૂત અને સામાન્ય માણસ ઘણો જ વિશ્વાસ કરતો હોય છે.. જો 2019ની વાત કરીએ તો ખાનગી હવામાનની બાબતોના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે પણ આગાહી કરવામાં આવી છે..