ચાલવાના ફાયદા બધાને ખબર જ હશે અને આ એક પ્રકારનો વ્યાયામ પણ છે, પરંતુ શું તમે જાણો છો કે ઉઘાડા પગે ઘાસ ઉપર ચાલવું તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. બગીચામાં ઘાસ પર 15થી 20 મિનિટ ખુલ્લા પગે ચાલવાથી કેટલાક ખાસ ફાયદા મળે છે, આ ફાયદા જાણ્યા બાદ તમે રોજ આ રીતે ચાલવા જશો.
રોજ સવારે કરી લો આ કામ
રોજ ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી મળે છે આ બેનિફિટ્સ
તનથી લઈને મસ્તિસ્ક સુધી મળે છે ફાયદા
ઘાસ ઉપર ચાલવું
સારાં સ્વાસ્થ માટે વોક એટલે કે ચાલવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વોક માટે પાર્ક જાઓ. હરિયાળી જુઓ. હરિયાળીની વચ્ચે સવાર સવામાં ચાલવાથી તણાવથી મુક્તિ મળી જાય છે, સાથે સાથે દિલના સ્વાસ્થ માટે પણ સારું રહે છે. હૃદયના રોગીઓને હરિયાળીની વચ્ચે ફરવું જોઈએ. ઘાસ ઉપર ચાલવાના બીજા પણ અનેક ફાયદા થાય છે.
જો તમને પગમાં સોજા, ચાંદા કે બળતરા જેવી કોઇ પણ સમસ્યા છે તો તમે ઘાસ પર 10-15 જરૂર ચાલો. એવામાં ખૂબ આરામ મળશે અને સાથે જ તમારા પગની દરેક સમસ્યા દૂર થશે.
સવારે ઉઘાડા પગે ઘાસ પર ચાલવાના અનેક ફાયદા છે. એવું કહેવાય છે કે, ઘાસ પર ચાલવાથી આંખો તેજ બને છે. જો કોઈની આખો નબળી હોય તો રોજ સવારે ઘાસ પર ચોક્કસ ચાલવા જવું જોઈએ.
રોજ સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી ફ્રેશ ઓક્સિજન મળે છે, સાવારના તડકામાં વિટામિન-ડીનું ભરપૂર પ્રમાણ હોય છે, આજના સમયમાં AC ઓફિસોમાં અને કામ ફરનારા લોકોને વિટામીન-D બહુ ઓછું મળે છે, જે શરીર માટે ખૂબ જરુરી છે.
મોટાભાગે વધતી ઉંમર સાથે લોકોના પગમાં સોજો આવવાની સમસ્યા થાય છે. આ સોજા અને તેના દુખાવામાંથી રાહત મેળવવા માટે રોજ ઘાસમાં ખુલ્લા પગે ચાલવાનું શરૂ કરી દો. તમારી આ તકલીફ ચોક્કસથી દૂર થઈ જશે.
આજકાલ કેટલાક લોકોમાં બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય જોવા મળે છે. બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે લોકો કેટલા પ્રકારની દવાઓનું સેવન કરે છે. પરંતુ શુ તમે જાણો છો કે ઘાસ પર ચાલવાથી તમારી આ સમસ્યા પણ દૂર થઇ શકે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
સાથે જ રોજ સવારે આ રીતે ચાલવા જવાથી તમારા ફેફસાં પણ હેલ્ધી રહેશે. બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધરશે અને મનને પરમ શાંતિનો એહસાસ થશે.
ઘાસ પર ખુલ્લા પગે ટહેલવાથી ઊંઘ ન આવવાની સમસ્યા એટલે કે અનિદ્રામાંથી પણ છુટકારો મળે છે. સાંજના સમયે જો તમે દરરોજ 15 મિનિટ ઘાસ પર ચાલશો તો તમને માનસિક રાહત મળશે અને રાત્રે ઊંઘ આવી જશે.
આપણા પગમાં એક પ્રેશર પોઇન્ટ હોય છે. ઘાસ પર સવારે ખુલ્લા પગે ચાલવાથી આ પ્રેશર પોઇન્ટ દબાય છે. એવું માનવામાં આવે છે કે ઘાસના લીલા રંગને જોવાથી આંખને રાહત અને ઠંડક મળે છે.