મધુબાલાને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની મર્લિન મુનરો કહેવામાં આવતી હતી. તેની એક સ્માઈલ પર લોકો ફિદા થઈ જતા હતા. મધુબાલાનો જન્મ 1933માં 14 ફેબ્રુઆરીના રોજ થયો હતો. એવું કહેવાય છે કે, 36 વર્ષની નાની ઉંમરે દુનિયાને અલવિદા કહેનાર મધુબાલા આખી જિંદગી પ્રેમ માટે તરસતી રહી.
36 વર્ષની નાની ઉંમરે મધુબાલાનું નિધન થયું
સૌથી વધુ ચર્ચિત છે મધુબાલા અને દિલીપ કુમારની લવસ્ટોરી
સિલ્વર સ્ક્રીન પર ફિલ્મ મુગલ-એ-આઝમમાં એક્ટ્રેસે અકબર બાદશાહ સામે તો સલીમ સાથેના પ્રેમનો એકરાર કરી દીધો પણ અંગત જીવનમાં પણ ઓનસક્રીન સલીમ એટલે કે દિલીપ કુમારના પ્રેમમાં તે પડી ગઈ હતી. પણ આ પ્રેમનું પરિણામ ખરાબ આવ્યું.
મધુબાલા અને દિલીપ કુમારની લવસ્ટોરી 1951માં આવેલી ફિલ્મ તરાનાના સેટ પર શરૂ થઇ હતી. બંનેને પહેલી નજરમાં જ પ્રેમ થઇ ગયો હતો પરંતુ મધુબાલાના પિતાને તેમની લવ લાઈફ સામે વાંધો હતો. તેના પિતા આ સંબંધની વિરૂદ્ધમાં હતા અને આ જ કારણથી રૂપેરી પડદે ધૂમ મચાવનાર દિલીપ અને મધુબાલાની જોડી રિયલ લાઈફમાં તૂટી ગઈ. વર્કફ્રંટની વાત કરીએ તો મધુબાલા અને દિલીપ કુમારની જોડીએ એકસાથે ફિલ્મ તરાના, સંગદિલ, અમર અને મુગલ-એ-આઝમ જેવી ફિલ્મોમાં કામ કર્યં હતું.
દિલીપ કુમાર પછી મધુબાલાનું કિશોર કુમાર પર દિલ આવી ગયું. એ સમયે કિશોર કુમાર સિંગિંગ તો કરતાં જ હતા, સાથે જ એક્ટર પણ હતા. તેઓ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પસંદ કરાયેલા કોમેડિયન એક્ટર્સમાંથી એક હતા. તેમને પણ મધુબાલા ખૂબ જ પસંદ હતી. બંનેએ સાથે હાફ ટિકિટ જેવી સુપરહિટ ફિલ્મમાં કામ પણ કર્યું.
જ્યારે કિશોર કુમારના પ્રેમમાં પડી મધુબાલા
કિશોર કુમાર ખૂબ જ જીદ્દી સ્વભાવના હતા. તે મધુબાલાને ચાહતા હતા અને તેની સાથે લગ્ન પણ કરવા માંગતા હતા. જેથી કિશોરકુમારને એક દિવસ તક મળી અને તેણે મધુબાલાને પ્રપોઝ કરી દીધી. મધુબાલાએ તેના પરિવાર વિશે વિચાર્યું અને પહેલાં તો આ સંબંધ માટે ના પાડી દીધી. પણ જ્યારે કિશોર કુમાર માન્યા નહીં અને અલગ-અલગ અંદાજમાં મધુબાલાને રાજી કરવામાં લાગી ગયા ત્યારે તે ના પાડી શકી નહીં. દિલીપ સાહબ સાથે સંબંધનો અંત આવ્યા બાદથી તે તણાવમાં હતી અને જીવનમાં એકલતા અનુભવી રહી હતી.
કિશોર કુમાર સાથે 9 વર્ષ ચાલ્યું સંબંધ
કિશોર કુમાર સાથે લગ્ન કરી લીધા બાદ પણ મધુબાલાના જીવનમાં પરેશાનીઓનો અંત આવ્યો નહીં. તેને આગળ જતાં ખબર પડી કે તેને હૃદયરોગ છે. આ સમાચાર સાંભળી મધુબાલા એકવાર ફરી ભાંગી પડી. આ સમયે તેને કિશોર કુમારની જરૂર હતી પરંતુ તે કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હતા. જેથી તેઓ મધુબાલાને સમય આપી શક્યા નહોતા. જે બાદ મધુબાલાએ કિશોર કુમાર સાથે લગ્ન કરી લીધા. પરંતુ મધુબાલાની બીમારીએ સાથ ન આપ્યો અને 23 ફેબ્રુઆરી, 1969ના દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધા.
આ હતું મધુબાલાનું સાચું નામ
તેમનું સાચું નામ મુમતાઝ જહાં દેહલવી હતું. મધુબાલાએ માત્ર 36 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. મધુબાલા ભલે ઓછું જીવ્યા હોય પરંતુ તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક કિસ્સા રસપ્રદ છે. જેમાંથી સૌથી વધુ ચર્ચિત છે મધુબાલા અને ટ્રેજડી કિંગ દિલીપ કુમારની લવસ્ટોરી.