એ હવે ખોટુ સાબિત થઈ રહ્યુ છે કે આહારમાં દૂધ શામેલ કરનારા લોકો સાત્વિક ભોજન કરે છે. પ્રોટેસ્ટેન્ટ ઈસાઈઓની એક નાની શાખા ક્વેકર સંપ્રદાયના અનુયાયિઓએ તો સત્રહવી શતાબ્ધીથી જ દૂધ અને તેનાથી બનેલા આહારનો નિષેધ શરૂ કરી દીધો હતો.
તેમનું કહેવું હતુ કે દૂધ પશુઓથી પ્રાપ્ત થનારા માંસની જેમ છે. બાળક જ્યાં સુધી પોતાની માતાનું દૂધ પીવે છે ત્યાં સુધી ઠીક છે. તેનાથી બે ત્રણ વર્ષનો થયા બાદ માં જ્ચારે સ્તનપાન નથી કરાવી શકતી તો સમજી જવું કે દૂધની જરૂરિયાત ખતમ થઈ ગઈ છે.
મુંબઈ સ્થિત હેફકિન રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના શોધાર્થી ડો. એસ. બુદ્ધિરાજાના પ્રમાણે કોઈ પણ પશુંનુ શિશુ જન્મના કેટલાક સમય બાદજ દૂધ પીવાનું છોડી દે છે. તમામ પશું પોતાની માતાનું દૂધ પીવે છે. એક માણસ જ છે જે બીજાની માતાઓનું અહીં સુધી જાનવરોની માતાઓનું પણ દૂધ પીવે છે. દૂધથી જે પણ પદાર્થ બને છે તે વાસના અને હિંસા વધારે છે.