શું તમે જાણો છો ટ્રેનમાં યાત્રીઓને કેટલો સામાન લઇ જવાની અનુમતિ છે? નથી જાણતા તો અત્યારે જ જાણી લો જેથી તમારે ફાઈન ન ભરવો પડે.
ટ્રેનમાં સફર કરવાવાળા યાત્રીઓ માટે જરૂરી ખબર
ટ્રેનમાં લગેજ લઈ જવાના નિયમો જાણવા જરૂરી
નિયમોના ઉલ્લંઘન પર ભરવો પડશે છ ગણો ફાઈન
જો તમે રેલથી સફર કરો છો તો તમારા માટે જરૂરી ખબર છે. મોટેભાગે લોકો ટ્રેનમાં જ સફર કરવાનું પસંદ કરે છે. ભારતીય રેલવેને દુનિયાનું બીજું સૌથી મોટું રેલ નેટવર્ક પણ માનવામાં આવે છે. એટલી દેશમાં સૌથી વધારે લોકો ટ્રેનથી જ સફર કરે છે. પરંતુ શું તમે જાણો છો ટ્રેનમાં યાત્રીઓને કેટલો સામાન લઇ જવાની અનુમતિ છે. જો તમે નક્કી કરાયેલ સમાનથી વધારે લગેજ સાથે લીધો તો તમારે છ ગણો વધારે ફાઈન ભરવો પડી શકે છે.
ભારતીય રેલવેએ બનાવ્યા નિયમો
જો તમે જરૂરીયાત કરતા વધારે સમાન લઇ જાઓ છો તો તમારે ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી શકે છે. પણ શું તમે જાણો છો કે રેલવેના નિયમ અનુસાર તમે એક નક્કી સીમા જેટલો જ સામાન લઇ જઈ શકો છો. રેલવે નિયમ અનુસાર, અમુક સામાનને લઇ જવો બેન છે. જો તમે આ સામાનને લઈને ટ્રેનમાં જાઓ છો તો તમારે ફાઈન સાથે જેલ પણ જવું પડી શકે છે. આવો જાણીએ ભારતીય રેલવેના આ નિયમ વિષે
કેટલો સામાન લઇ જઈ શકો છો?
તમને જણાવી દઈએ કે હવાઈ યાત્રાની જેમ રેલવેમાં પણ સફર દરમિયાન સામાન લઇ જવાની સીમા નક્કી કરવામાં આવી છે. આ માટે રેલવે તરફથી કડક નિયમો પણ બનાવાયા છે. આ નિયમ હેઠળ એક યાત્રી વધારેમાં વધારે 40 કિલોગ્રામ સુધી જ સામાન લઇ જઈ શકે છે. જો કોઈ યાત્રી પાસે તેનાંથી અધિક સામાન છે તો રેલવે નિયમ અનુસાર, તેને તેનું ભાડું આપવું પડશે.
જો યાત્રી એસી કોચમાં સફર કરી રહ્યો છે તો તે પોતાની સાથે 70 કિલોગ્રામ સુધીનો સામાન સરળતાથી વગર એકસ્ટ્રા શુલ્ક આપ્યે લઇ જઈ શકે છે. જયારે સ્લીપરમાં યાત્રા કરવાવાળા યાત્રી પોતાની સાથે 40 કિલોગ્રામ સુધી જ સમાન લઇ જઈ શકે છે. જો તમે વધારે સામાન લઇ જાઓ છો તો તમારે તેના માટે એકસ્ટ્રા ચાર્જ આપવો પડશે.
આપવો પડશે ફાઈન
જણાવી દઈએ કે કોઈ યાત્રી યાત્રા દરમિયાન નક્કી સીમાથી અધિક સામાન લઈને જાય છે તો તેનો અલગથી ફાઈન ભરવો પડશે. યાત્રીઓને ઓછામાં ઓછા 30 રૂપિયા સુધીનો ફાઈન ભરવો પડશે. આ ઉપરાંત, રેલવેએ પોતાના આ નિયમમાં છૂટ પણ આપી છે. જો ટ્રેનમાં કોઈ દર્દી યાત્રા કરે છે તો રેલવે નિયમ અનુસાર આવા યાત્રી પોતાની સાથે ઓક્સીજન સીલીન્ડર તથા સ્ટેન્ડ પણ લઇ જઈ શકે છે.
નહી લઈ જઈ શકો આ સામાન
રેલવેના નિયમ અનુસાર, યાત્રીઓને પોતાની સાથે વિસ્ફોટક કે જ્વલનશીલ પદાર્થ લઇ જવાની અનુમતિ નથી, આવું કરવા પર યાત્રીઓએ ભારે ફાઈન ભરવો પડી શકે છે. એટલું જ નહિ, આ માટે યાત્રીએ 3 વર્ષ સુધી જેલ પણ જવું પડી શકે છે.