ભગવાન શિવનો મહિનો શ્રાવણ શરૂ થવાનો છે શાસ્ત્રો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ શ્વાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગો છો તો પારદ શિવલિંગની પૂજા અને સ્થાપના કરવાથી તમારી ઘણી ઈચ્છાઓને ભગવાન શિવ પુરી કરી શકે છે અને ભગવાન શિવની કૃપા દ્રષ્ટી હંમેશા ભક્ત પર રહે છે
સ્વયં સિદ્ધ ધાતુ છે પારદ
પ્રાચીન ગ્રંથોમાં પારદને સ્વયં સિદ્ધ ધાતુ માનવામાં આવ્યુ છે. તેનું વર્ણન ચરક સંહિતા જેવા મહત્વપૂર્ણ ગ્રંથોમાં પણ જોવા મળે છે. શિવપુરાણમાં પારદને શિવનું વીર્ય કહેવામાં આવ્યુ છે. વીર્ય બીજ છે જે તમામ જીવોની ઉત્પત્તીનું કારક છે. તેના માધ્યમથી ભૌતિક સૃષ્ટિનો વિસ્તાર થાય છે.
તમામ ઈચ્છાઓ થાય છે પૂરી
પારદ શિવલિંગ માટે કોઈ પ્રાણ પ્રતિષ્ઠાની આવશ્યકતા નથી. તેના દર્શન માત્રથી તમારી દરેક ઈચ્છાઓ પુરી થાય છે. તેની પૂજા કરવાથી સ્વાસ્થ્ય અને ઘન-યશની ઈચ્છા પૂરી થાય છે.
તમામ પ્રકારની તંત્ર વિદ્યાનો નાશ થાય છે
પારદનો શિવ સાથે સાક્ષાત સંબંધ હોવાથી તેનું અલગ જ માહાત્મ્ય છે. શ્રાવણમાં આ શિવલિંગની પૂજા કરવાથી તે તમામ પ્રકારના તંત્ર-મંત્રના ખોટા પ્રભાવને કાપેછે એવી માન્યતા છે. એવી ધારણ છે કે જે કોઈ ભક્ત પારદ શિવલિંગની પૂજ કરે છે તેમની રક્ષા સ્વયં મહાકાલ અને મહાકાલી કરે છે.
પરિવારમાં રહે છે સુખ-શાંતિ
પારદ શિવલિંગના શ્રાવણમાં શ્રદ્ધાપૂર્વક દર્શન માત્રથી જ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. સાથે જ પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે. જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી અને ન કોઈ ચીજની ચિંતા રહે છે. આ શિવલિંગના સ્પર્શ માત્રથી દૈવીય શક્તિઓ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી જાય છે.
આ પ્રકારે કરો શ્રાવણમાં પૂજા
શ્રાવણમાં પારદ શિવલિંગ સામે દીવો પ્રગટાવીને રાખો અને હાથમાં થોડુ જળ અને ફુલ લઈને મહામૃત્યુંજય મંત્રનો ત્રણ વખત જાપ કરો અને ભગવાન શિવને કે અર્પણ કરી દો. નિત્ય તેની પૂજા-અર્ચના કરવાથી લાંબુ આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તી થાય છે. પારદ શિવલિંગની પૂજા કરવાથી અપેક્ષા કરતા હજારો ઘણુ ફળ મળે છે.
શિવલિંગમાં છે સંપૂર્ણ જ્ઞાન
પારદ શિવલિંગની પૂજા કરવાથી ઘન સંબંધિત પરિવાર સંબંધિત સ્વાસ્થ્ય સંબંધિત અને તમારા જીવનથી જોડાયેલી તમામ નાની મોટી સમસ્યાનો અંત આવે છે. પુરાણોમાં આ શિવલિંગના વિશે જણાવાયુ છે કે તેમાં ભ્રહ્માંડનું સંપુર્ણ જ્ઞાન છે.