હિન્દૂ ધર્માં તુલસીના છોડનું ઘણું મહત્વ છે. તુલસી આપણા આંગણાની શોભા વધારે છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડનો ઉપયોગ ઘણા શુભ કાર્યોમાં કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને તુલસી બહુ જ પ્રિય છે.
ભગવાન વિષ્ણુના પ્રસાદમાં તુલસીના પત્તાનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. આ ઉપરાંત તુલસીના પત્તાનો ભગવાનને ભોગ ચઢાવવામાં આવે છે. તુલસીમાં ઘણા ગુણ પણ છે. તુલસીના પત્તાનું રોજ સેવન કરવાથી ઘણા રોગોથી મુક્તિ મળે છે. અહીં આપણે જાણીએ કે તુલસીના પત્તાનો ઉપયોગ ક્યાં અને ક્યારે કરવામાં આવે છે.
આ દિવસે ન તોડવા જોઇએ તુલસીના પત્તા
તુલસીના પત્તા માનવીના જીવનમાં એક વરદાન રૂપ છે. પરંતુ આ પત્તાને કેટલાક ખાસ દિવસે ન તોડવા જોઇએ. જેમકે ચંદ્રગ્રહણ, એકાદશી, અને રવિવારના દિવસે તુલસીના પત્તા તોડવા જોઇએ નહીં. સૂર્યાસ્ત બાદ પણ તુલસીના પત્તા ક્યારેય ન તોડવા ન જોઇએ.
હિન્દૂ ધર્મમાં માન્યતા છે કે જો આપણા ઘરમાં કોઇ વિશેષ પૂજા અથવા કાર્યક્રમ થઇ રહ્યો છે તો તેમા તુલસીના પત્તાનો ઉપયોગ કરવો જરૂરી છે. નહિંતર પૂજા સફળ ગણાતી નથી.
ઘરમાં તુલસીનો છોડ રાખવો શુભ માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ લાવ્યા બાદ તેની સવાર-સાંજે દીપક સળગાવી પૂજા કરવી જોઇએ. ઘરના આંગણામાં તુલસી રાખવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ નથી થતો.
તુલસીના પત્તાને રોજ ખાલી પેટ સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તુલસી ઘણા રોગોથી બચાવે છે. લોહી સાફ રહે છે અને આપના વાળ ઉતરતા રોકે છે.