હસ્ત રેખા જ્યોતિષીઓ અનુસાર, લોકોના પ્રેમ વિવાહ થવાની સંભાવના તેમની હથેળીમાં શુક્ર, બૃહસ્પતિ તથા મંગળના સ્થાનને જોઇને સમજી શકાય છે. જાણો કઈ રીતે?
હસ્ત રેખા જ્યોતિષીઓ અનુસાર, લોકોના પ્રેમ વિવાહ થવાની સંભાવના તેમની હથેળીમાં શુક્ર, બૃહસ્પતિ તથા મંગળના સ્થાનને જોઇને સમજી શકાય છે.
હિંદુ ધર્મમાં વિવાહને સાત જન્મોનો સંબંધ માનવામાં આવે છે. ઘણા લોકો પ્રેમ વિવાહ કરે છે તો ઘણા લોકો પોતાના પરિવારની સલાહથી લગ્ન કરે છે. ઘણા હસ્ત રેખા જ્યોતીશોના માટે તમારા હાથની રેખાઓને જોઇને કહી શકાય છે કે તમે પ્રેમ વિવાહ કરશો કે પોતાના પરિવારની સલાહ મુજબ વિવાહ કરશો.
આજે અમે તમને જણાવશું કે તમારા હાથની કઈ રેખા તમારા વિવાહ વિષે જણાવે છે તથા કઈ રેખા પ્રેમ વિવાહ તરફ ઈશારો કરે છે. જે લોકોના પ્રેમ વિવાહ થવાની સંભાવના હોય છે તેમની હથેળીમાં શુક્ર, બૃહસ્પતિ તથા મંગળના સ્થાનને ખૂબ જ પ્રભાવી માનવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિના પ્રેમ વિવાહ થવાના હોય તો તેની ડાબી હથેળી પર બુધ પર્વતની રેખા પરથી સમજી શકાય છે. બુધ પર્વતની રેખાથી પ્રેમ વિવાહની જાણ નથી થતી તો ઘણા જ્યોતિષો બૃહસ્પતિ તથા શુક્રને જોઇને તેનાથી પ્રેમિકાના સ્વભાવ વિષે પણ જાણી શકે છે.
આપણા હાથની રેખાઓથી એ વાતની પણ જાણ થઇ શકે છે કે જો વિવાહની રેખા અન્ય રેખાઓથી વધારે લાંબી કે ટૂંકી હોય તો એ વાત તરફ ઈશારો થાય છે કે તમારા આંતરજાતીય વિવાહ થઇ શકે છે. ઘણા જ્યોતિષો તેને અમીર કે ગરીબ પરિવારમાં લગ્ન થવાનું માને છે. જો તમારી હથેળીમાં મોજૂદ બૃહસ્પતિ પર્વત શનિ તરફ ઝુકાવ રાખે છે તો તેનો અર્થ એ છે કે તમારા લગ્ન 30 વર્ષની ઉંમર બાદ થશે.
જ્યોતિષો માને છે કે જ્યારે પુરુષની હથેળીમાં વિવાહની રેખા હૃદય રેખા કરતા ઘણી દૂર છે તથા બૃહસ્પતિના સ્થાન પર કોઈ ચિહ્ન ન જોવા મળે તો તેનો અર્થ છે કે લગ્ન મોડા થશે. જો હથેળીમાં વિવાહ રેખા તથા કાનીસ્થા આંગળીના મધ્યમાં બે-ત્રણ સ્પષ્ટ રેખાઓ હોય તો તે સ્ત્રી અથવા પુરુષના એટલા જ પ્રેમસંબંધો હોય છે. જોન પુરુષની કેવળ એક જ રેખા છે તથા તે સ્પષ્ટ તથા અંત સુધી ઘાટી છે તો એવા લોકો એક પત્નીવ્રતા હોય છે તથા પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે.