ગ્રીન ટી વિશે હાલમાં જ એક રિસર્ચ થયું છે જેમાં ઘણી બધી બાબતો સામે આવી છે. ચાલો જાણીએ કે ગ્રીન ટી પીવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ગ્રીન ટી ફાયદાકારક?
10 લાખ લોકો પર થયું આ રિસર્ચ
જાણો રિસર્ચમાં શું થયો ખુલાસો
આજકાલ શુગરની બીમારી એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. તમને દરેક ઘરમાં ડાયાબિટીસના દર્દી જોવા મળશે. ડાયાબિટીસ મોટાભાગે ખરાબ ભોજન અને જીવનશૈલીના કારણે થાય છે. ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ વધી જાય છે. જે લોકો ડાયાબિટીસના દર્દી છે તેઓએ સુગર ખાવાનું છોડી દેવું જોઈએ અને ફિટ રહેવા માટે દરરોજ કસરત કરવી જોઈએ.
એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગ્રીન ટીનું સેવન શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સિવાય જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો પણ તમે ગ્રીન ટી પી શકો છો. તાજેતરમાં જ એક સંશોધન કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે ગ્રીન ટી પીવાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થઈ જાય છે. જાણો સંશોધનમાં થયેલા અન્ય ખુલાસા વિશે.
રિસર્ચમાં થયો ખુલાસો
આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ગ્રીન ટી પીવાથી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે. રિસર્ચમાં લગભગ 10 લાખ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં બહાર આવ્યું છે કે જે લોકો દરરોજ 2 કપ ગ્રીન ટી પીવે છે તેમનામાં ડાયાબિટીસનું જોખમ 4 ટકા સુધી ઘટી જાય છે.
એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર છે ગ્રીન ટી
રિસર્ચમાં એ વિશે જાણકારી નથી મળી કે ગ્રીન ટી પીવાથી ડાયાબિટીસનું જોખમ કેમ ઓછુ થાય છે. જો કે સંશોધકોનું કહેવું છે કે ગ્રીન ટીમાં પોલિફીનોલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ મળી આવે છે. જે સેલ્સને ડેમેજ થવાથી બચાવે છે.
ગ્રીન ટી પીવાના અન્ય ફાયદા
જે લોકો વજન વધવાથી પરેશાન છે તેઓ ગ્રીન ટીનું સેવન કરી શકે છે. આ સિવાય ગ્રીન ટીનું સેવન પાર્કિન્સન્સનું જોખમ ઓછું કરે છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે વાળના ગ્રોથ માટે ખૂબ જ ફાયદાકારક છે.