ટેક્સ ચૂકાવનારા લોકોને ઈન્કમ ટેક્સ વિભાગ મેસેજ અને ઈ મેલના માધ્યમથી નોટિસ જારી કરવામાં આવ્યા છે.
ટેક્સ ચૂકાવનારા લોકોને ઈન્કમ ટેક્સ વિભાગ નોટિસ જારી કરી રહ્યું છે
આ બાબત ટેક્સપેયર્સના ઈન્કમ ટેક્સ રિટર્ન સાથે મેળ નથી ખાઈ રહી
તમને નાનકડી ભૂલ મોંઘી પડી શકે છે
આ બાબત ટેક્સપેયર્સના ઈન્કમ ટેક્સ રિટર્ન સાથે મેળ નથી ખાઈ રહી
ગત કેટલાક મહિનામાં ટેક્સપેયર્સને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ધડાધડ નોટિસ મળી રહી છે. ટેક્સ ચૂકાવનારા લોકોને ઈન્કમ ટેક્સ વિભાગ મેસેજ અને ઈ મેલના માધ્યમથી નોટિસ જારી કરવામાં આવ્યા છે. આ નોટિસ એટલા માટે મોકલવામાં આવી રહ્યા છે. કેમ કે ટેક્સ ડિપાર્ટમેન્ટની પાસે વ્યાજથી થનારી કમાણીનું જે વિવરણ છે તે ટેક્સપેયર્સના ઈન્કમ ટેક્સ રિટર્ન સાથે મેળ નથી ખાઈ રહ્યુ.
નાનકડી ભૂલ મોંઘી પડી શકે છે
હકિકતમાં બેંકમાં કરવામાં આવેલા ફિક્સ્ડ ડિપોજિટ પર મળનારુ વ્યાજ પૂરી રીતે ટેક્સેબલ હોય છે. પરંતુ ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરતા સમયે લોકો મોટા ભાગે આ વાતને ભૂલી જાય છે અને એફડીના વ્યાજથી થનારી કમાણીને આઈટીઆરમાં બતાવતા નથી. આ નાની ભૂલના કારણે ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સપેયર્સને નોટિસ મોકલી રહ્યુ છે.
નોટિસથી બચવા માટે કરો આ કામ
જો આ ઈન્કમ ટેક્ની નોટિસથી બચવું છે તો આઈટીઆરમાં બેંક એફડી પર મળેલા વ્યાજની જાણકારી ટેક્સ વિભાગને આપો. પરંતુ તમને એ ખબર હોવી જોઈએ કે ITRમાં આ વિવરણ કેવી રીતે આપવાનું છે. હકિકતમાં વ્યાજથી થનારી કમાણીનું વિવરણ આપવા માટે આઈટીઆરમાં 2 ઓપ્શન મળે છે. ટેક્સપેયર પોતાના વ્યાજ ઈનકમને ITRમાં યર ઓફ એક્ચ્યૂલની સાથે યર ઓફ રિસીપ્ટમાં બતાવી શકે છે. એટલે કે તમે વ્યાજનું વિવરણ દર વર્ષના હિસાબે આપી શકો છો અથવા તે વર્ષે પણ આપી શકો છો જ્યારે તમને એફડી પાછી મળે છે. પરંતુ ટેક્સ એક્સપર્ટની સલાહ છે કે એફડી પર મળનારા વ્યાજને યર ઓફ એક્ચ્યૂલમાં બતાવો.
બેંક તરફથી ટીડીએસ કાપવામાં આવે છે
દર વર્ષે વ્યાજ પર બેંક તરફથી ટીડીએસ પણ કાપવામાં આવે છે. જે આઈટીઆર ફોર્મ 26એએસમાં બતાવી શકો છો. આનાથી ટીડીએસ અન એન્યૂઅલ ઈન્ટરેસ્ટના આંકડામાં કોઈ અંતર નહીં પડે અને ટેક્સ ડિપાર્ટમેન્ટના નિયમોનું કોઈ ઉલંઘન નહીં થાય. જો તમારી ઈનકમ એગ્જેસ્ટેડ લિમિટથી ઓછી છે તો તમને મળનારા વ્યાજ પર ટીડીએસનું પેમેન્ટ નહીં કરવું પડે. બેંક 10 ટકા દરથી ટીડીએસ કાપે છે.