નવરાત્રિનું આજે બીજું નોરતું છે. મા દુર્ગાની પંચોપચાર કે ષોડશોપચાર પૂજા કરવાનું આજે ખાસ મહત્વ છે. નવદુર્ગાના નવ રૂપમાં બીજું રૂપ બ્રહ્મચારિણીનું છે. તેને જ્ઞાન, તપસ્યા અને વૈરાગ્યની દેવી માનવામાં આવે છે. કઠોર સાધના અને બ્રહ્મમાં લીન રહેવાના કારણે તેને બ્રહ્મચારિણી કહેવાય છે. વિદ્યાર્થીઓ માટે તેમની પૂજા લાભદાયી છે.
દેવી બ્રહ્મચારિણીની આ રીતે કરો પૂજા
દૂર થશે બાધાઓ અને ચિંતા
સફેદ વસ્ત્ર પહેરીને કરો દેવીની પૂજા
સફેદ ભોગથી પ્રસન્ન થાય છે દેવી બ્રહ્મચારિણી
સદાચાર અને સંયમ કરે છે પ્રદાન
બ્રહ્મચારિણીમાં બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. એટલે કે જે તપનું આચરણ કરે છે તે બ્રહ્મચારિણી. માના ડાબા હાથમાં જપમાળા અને જમણા હાથમાં કમંડલ શોભાયમાન છે. માના આ સ્વરૂપની ઉપાસના કરવાથી મનુષ્યને ભક્તિ અને સિદ્ધી બંનેની પ્રાપ્તિ થાય છે. માતા પ્રસન્ન થઈને ભક્તોને તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમ આપે છે.
માતાએ પણ કરી હતી તપસ્યા
મા બ્રહ્મચારિણી સાથે આ દંતકથા જોડાયેલી છે. તેઓએ પૂત્રીના રૂપે હિમાલયના ઘરમાં જન્મ લીધો અને નારદજીના કહેવાથી ભગવાન શંકરને પતિના રૂપમાં પ્રાપ્ત કરીને ઘોર તપસ્યા માટે જંગલમાં ગયા. હજારો વર્ષોની તપસ્યા બાદ અન્ન ત્યાગીને જંગલના ફળ ફૂલ અને બિલિપત્ર ખાધા. થોડા સમય પછી નિર્જલ અને નિરાહાર તપસ્યા કરી.
પૂજાથી થાય છે બાધા દૂર
દરેક દેવતાગણ ઋષિ અને મુનિઓએ તેમનાથી પ્રસન્ન થઈને તેમને શિવજીને પતિના રૂપે પ્રાપ્ત કરવાનું વરદાન આપ્યું. સાથે જ પિતાએ તપસ્યા છોડી દેવા કહ્યું. દેવી બ્રહ્મચારિણીની પૂજાથી સુખ, શાંતિ અને ધર્મની પ્રાપ્તિ થાય છે. વિવાહમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે.
ચિંતા થાય છે દૂર
આ દિવસે પૂજાના નિયમો અનુસાર પૂજા કરવાથી ચિંતા દૂર થાય છે. સુસ્તી, તણાવ ઘટે છે. પ્રસન્નતા, નિષ્ઠા, આત્મ વિશ્વાસ અને ઉર્જાનો વિકાસ થાય છે અને કામયાબી મળે છે.
આ ભોગથી પ્રસન્ન થાય છે દેવી
સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન કરી લો અને સાથે માતા બ્રહ્મચારિણીની પૂજા કરો. પહેલાં માને દૂધ, દહીં,અત્તર, ધી, મધ અને ખાંડ એટલે કે પંચામૃતથી સ્નાન કરો. મા બ્રહ્મચારિણીને દૂધ અને દૂઘના વ્યંજન પસંદ છે. તો તેનો ભોગ ચઢાવો.
પૂજાનો નિયમ
દેવી બ્રહ્મચારિણીની પૂજા કરતી સમયે પીળા કે સફેદ વસ્ત્રો પહેરો. માને સફેદ વસ્તુ જેમકે મિસરી, ખાંડ કે પંચામૃત ધરો. ઓમ એં નમઃ મંત્રનો જાપ કરો.