ઓઈલી ફૂડના સેવનથી વજન વધી જાય છે પણ રોજ અજમાના પાણીના સેવનથી વજન ઉતારી પણ શકાય છે.
ઓઈલી ફૂડને કારણે વધી જાય છે વજન
સેલરીનું પાણી વજન ઉતારવામાં ઉપયોગી
ડાયટમાં સેલરીની માત્રા વધારવાથી થાય છે ફાયદો
ઓઈલી ફૂડને કારણે વધી જાય છે વજન
ભારતમાં લોકોને ઓઈલી ફૂડ્સ અને સ્વીટ ડિશિસ ખાવાનો ખૂબ જ શોખ હોય છે જેને કારણે મોટેભાગે તેઓ મેદસ્વિતાનો શિકાર બની જાય છે. હવે એકવાર વજન વધી જાય છે, તો ઘટાડવું અત્યંત મુશ્કેલ થઈ જાય છે. હવે સૌ કોઈ પાસે ટેલો સમય નથી હોતો કે ડેઇલી લાઈફમાં કયાંથી સમય કાઢીને જિમમાં જઈ શકે, અને ન કોઈ એવા ડાયટ એક્સપર્ટ મળે છે કે જે દરેક સમયે યોગ્ય ભોજન વિષે જણાવી શકે. હવે જો તમારે સરળતાથી વજન ઊતરવું છે, તો એક ખાસ ડ્રિંકનો સહારો લઈ શકાય છે.
સેલરીની મદદથી ઉતારી શકાય છે વજન
વજન ઉતારવા માટે સેલરી એક શ્રેષ્ઠ ઓપ્શન છે. આ આયુર્વેદિક અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ગ્રેટર નોયડાના GIMS હોસ્પિટલમાં કાર્યરત ફેમસ ડાયટિશિયન ડો. આયુષી યાદવે જાણાવ્યું છે કે અજમાનું પાણી પીવાથી પેટ અને કમરની ચરબી ઘટે છે. આવો જાણીએ કયા પ્રકારે અજમાનું ડ્રિંક બનાવી શકાય છે.
સેલરીના પાણીનો કઈ રીતે કરવો ઉપયોગ?
1. જો તમે સવારે કંઇપણ લીધા વગર સેલરીનું પાણી પીવો છો, તો તેનાથી વજન ઝડપથી ઉતારી શકાય છે અને ફેટ પણ ઓછું થાય છે.
2. સેલરીના પાણીને હલકુ ગરમ કરીને પણ પી શકાય છે, જો તમે થોડા સારા પરિણામની આશા રાખો છો, તો તમાર ડેઇલી ડાયટમાં અજમાની માત્રા વધારી દો.
3. વેટ ઉતારવા માટે તમે 25 ગ્રામ અજમાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી દો અને બીજા દિવસે સવારે ખાલી પેટ લઈ લો.
4. જો એક મહિના સુધી તમે અજમાના પાણીનું સેવ કરો છો, તો તમે શરીર પર ફરક અનુભવી શકશો.
5. જો તમે રાતના સમયે સેલરીને પાણીમાં પલાલવાનું ભૂલી જાઓ છો, તો સવારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી સેલરી ભેળવીને વાસણમાં ઉકાળી લો. છેલ્લે ગેસ બંધ કરી દો અને થોડું ઠંડુ પડવા પર પી લો.