બીલીપત્રમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ તત્વો હોય છે જે સ્કિન પર થતા ઘણા પ્રકારના સંક્રમણ અથવા એક્ને વગેરેથી બચાવે છે. આ ઉપરાંત આ ચહેરા પર ડાઘ ધબ્બાને દૂર કરીને નિખાર લાવે છે.
બીલીપત્રમાં હોય છે એન્ટી ઓક્સીડેન્ટ
ત્વચા અને વાળ માટે છે ફાયદાકારક
જાણો કઈ રીતે કરશો ઉપયોગ
શિવરાત્રિ પર શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવામાં આવે છે પરંતુ તમને ખબર છે બીલીપત્રમાં ઘણા એવા તત્વો હોય છે જે આપણા વાળ અને સ્કિનને ઘણી સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે. હકીકતે બીલીપત્રમાં વિટામિન ઓ, વિટામિન બી, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, બીટા કેરોટીન, થાયમીન જેવા પોષક તત્વો હોય છે. જે ડેડ સ્કિન અને વાળને હેલ્ધી બનાવી શકે છે.
તમારી ડ્રાય સ્કિન અથવા ખરતા વાળની સમસ્યાને ઠીક કરવા માટે કોઈને કોઈ રીતે બેલપત્રનો ઉપયોગ કરી શકો છો. આટલું જ નહીં અમે એ પણ જણાવીએ કે બીલીપત્રથી સ્કિન અને વાળને શું શું ફાયદો મળે છે.
બીલીપત્રથી આ રીતે કરો સ્કીન અને વાળની સમસ્યાને દૂર
ગ્લોઈંગ સ્કિન માટે
બીલીપત્રમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ તત્વો હોય છે, જે ત્વચાને સુધારવામાં કારગર સાબિત થાય છે. ચહેરા પર ચમક લાવવા માટે તેને પીસીને તેમાં મધના થોડા ટીપા મિક્સ કરીને ચહેરા પર લગાવો. જો તમે બીલીપત્રાને પાણીમાં ઉકાળીને આ પાણીથી ચહેરાને ધોઈ લો તો તેનાથી ચહેરો પણ ગ્લોઈંગ થઈ જશે.
એજીંગથી બચાવે છે
બીલીપત્રમાં વૃદ્ધત્વ વિરોધી તત્વો પણ હોય છે જે ત્વચાને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને ત્વચાને કરચલીઓ, પિગમેન્ટેશન વગેરેથી બચાવે છે. આ માટે બીલીપત્રને પીસીને તેનો ફેસ પેક ચહેરા પર લગાવો.
શરીરની ગંધ થાય છે દૂર
જો તમારા શરીરમાંથી દુર્ગંધ આવે છે તો તમે બીલીના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે બીલીના પાનને પીસીને તેનો રસ તમારા શરીર પર થોડા કલાકો સુધી લગાવો. ત્યાર બાદ સામાન્ય પાણીથી સ્નાન કરો. તેનાથી તમારા શરીરની દુર્ગંધ દૂર થઈ જશે.
ડાઘ અને ખંજવાળથી રાહત
જો તમારી ત્વચા પર ફોલ્લીઓ અથવા ખંજવાળની સમસ્યા છે. તો તમે તેને દૂર કરવા માટે બીલીપત્રનો ઉપયોગ કરી શકો છો. આ માટે બીલીપત્રને પીસીને તેનો રસ જીરા પાવડરમાં મિક્સ કરીને ખાઓ. જો તમે તેને ત્વચા પર લગાવો છો, તો ખંજવાળ શાંત થશે અને ફોલ્લીઓ પણ દૂર થઈ જશે.
વાળ ખરવાનું થશે બંધ
જો વાળ ખૂબ ખરતા હોય તો બીલીના પાનને પીસીને વાળના મૂળમાં લગાવો. 15 મિનિટ પછી ધોઈ લો. તમે દરરોજ સવારે બીલીપત્રના નરમ પાન ધોઈને ખાઈ પણ શકો છો.
જૂથી મળશે છૂટકારો
બીલીપત્રને સૂકવીને પીસી લો અને તેમાં તલ અને કપૂરનું તેલ મિક્સ કરો. હવે તેને વાળના મૂળમાં લગાવો અને મસાજ કરો. આ તેલનો નિયમિત ઉપયોગ કરવાથી માથાની જૂમાંથી છુટકારો મળશે.