નવરાત્રીમાં જો તમે ઉપવાસ કરો છો, તો જાણો ક્યા પ્રકારનો ખોરાક લેવાથી હેલ્ધી રહી શકાય છે.
નવ દિવસ લોકો ઉપવાસ કરતા હોય છે
ઉપવાસ કરવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદા
આ સમય દરમિયાન તમે સારું ડાયટ ફોલો કરો
નવરાત્રીમાં નવ દિવસ લોકો ઉપવાસ કરતા હોય છે
નવરાત્રિમાં મા અંબાને પ્રસન્ન કરવા માટે અનેક લોકો પૂરી શ્રદ્ધા સાથે ઉપવાસ કરતા હોય છે. આ ઉપવાસ કોઇ એકટાણાં કરે છે તો કોઇ નકોરડા. આ નવ દિવસોમાં ઉપવાસ કરીને માં દુર્ગાની અર્ચના કરવામાં આવે છે. આ દિવસોમાં અનેક લોકો માત્ર ફ્રૂટ જ ખાઇને જ કરતા હોય છે. જ્યારે ઘણાં લોકો માત્ર પાણી પીને કરતા હોય છે. મેડિકલ અનુસાર ઉપવાસ કરવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદા થાય છે.
ઉપવાસ કરવાથી તમારી બોડીનું મેટાબોલિઝમનું સ્તર નિયંત્રિત રહે છે. પરંતુ તમને એક વાત ખાસ એ જણાવી દઇએ કે જો તમે નવ દિવસ ઉપવાસ કરો છો તો તમારી હેલ્થનું પણ તમારે અનેક રીતે ધ્યાન રાખવું જોઇએ. જો તમે હેલ્થ પર પ્રોપર ધ્યાન આપતા નથી તો તમે બીમાર પડી જાવો છો અને સ્વાસ્થ્ય પણ વધારે ખરાબ થાય છે. તો જાણો તમે પણ નવરાત્રિ દરમિયાન કેવી રીતે ઉપવાસ કરીને તમારી હેલ્થનું ધ્યાન રાખશો.
મેન્ટલી સ્વસ્થ રહો
નવરાત્રિમાં તમે ઉપવાસ કરો છો તો સૌથી પહેલાં તમારાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ સમય દરમિયાન તમે સારું ડાયટ ફોલો કરો. સારું ડાયટ તમારાં સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. આ સમયમાં તમે ફેટી વસ્તુઓનું સેવન ના કરો. આ સાથે જ તમે દિવસ દરમિયાન પાણી વધુ પીવો. આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડશે નહીં.
વજન ઓછું થશે
તમે નવરાત્રિમાં ઉપવાસ કરો છો તો તમારું વજન કંટ્રોલમાં રહે છે. ફાસ્ટમાં તમે હાઇ કેલરી વસ્તુઓનું સેવન કરશો નહીં. હાઇ કેલરીનું સેવન નહીં કરો તો તમારું વજન સરળતાથી ઘટાડી શકો છો. આ નવ દિવસમાં તમે લીલાં શાકભાજી ખાઓ. આ સાથે જ પાચનતંત્ર સારું રાખવા માટે તમે વિટામિનથી ભરપૂર ફળો ખાઓ. આ વસ્તુઓનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રહે છે.
થોડું-થોડું ખાતા રહો
આખો દિવસ તમે એનર્જીથી ભરપૂર રહેવા માટે આખો દિવસ થોડું થોડું ખાવાનું રાખો. એક સાથે તમે વધારે જમી લો છો તો તમારી હેલ્થને નુકસાન પહોંચે છે અને સાથે તમારું પાચનતંત્ર પણ ખરાબ થાય છે.