જો તમે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. જનઔષધિ કેન્દ્રની સફળતા જોતા મોદી સરકાર હવે 1500 નવા જનઔષધિ કેન્દ્રો ખોલવાની તૈયારી કરી રહી છે. આ કેન્દ્ર માર્ચ 2019 સુધી શરૂ કરી દેવામાં આવશે. એવામાં તમારી પાસે ફરી એક વખત જનઔષધિ કેન્દ્ર ખોલવાનો મૌકો છે જેની મદદથી તમે મહિનામાં સારી કમાણી કરી શકો છો. આ યોજનાની સૌથી મોટી ખાસિયત છે કે કેન્દ્ર ખોલવા માટે 2.50 લાખ રૂપિયાની મદદ આપવામાં આવશે જે સેલ્સ પર આધારિત છે. જોકે દેશભરમાં અત્યાર સુધી 4974 જનઔષધિ કેન્દ્ર શરૂ કરી દેવામાં આવ્યા છે.
જનઔષધિ કેન્દ્રથી કેટલો થશે ફાયદો:
જનઔષધિ કેન્દ્રથી દવા વેચવા પર મળતી 20% માર્જિન સિવાય દર મહિનાના વેચાણ પર 15% ઇન્ટેનસિવ મળશે. ઇન્ટેનસિવની અધિકતમ સીમા 10000 રૂપિયા પ્રતિ માસ હશે. સરકારની આ યોજના અનુસાર ઇન્ટેન્સિવ ત્યા સુધી આપવામાં આવશે જ્યાં સુધી 2.50 લાખ રૂપિયા પૂરા ના થઇ જાય. જનઔષધિ કેન્દ્ર ખોલવામાં અત્યાર સુધી 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે આ પ્રકારે તમામ ખર્ચો સરકાર પોતે ઉઠાવશે.
કોણ ખોલી શકશે જનઔષધિ કેન્દ્ર:
સરકારે જનઔષધિ કેન્દ્ર ખોલવા માટે 3 કેટેગરી બનાવી છે. પહેલી કેટેગરી હેઠળ કોઇ પણ વ્યકિત બેરોજગાર ફાર્માસિસ્ટ ડૉક્ટર રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર કેન્દ્ર ખોલી શકે છે. બીજી કેટેગરી હેઠળ ટ્રસ્ટ NGO પ્રાઇવેટ હોસ્પિટલ સોસાયટી અને સેલ્ફ હેલ્પ ગ્રુપ જનઔષધિ કેન્દ્ર ખોલી શકે છે ત્રીજી કેટેગરીમાં રાજ્ય સરકારની તરફથી નોમિનેટ કરવામાં આવેલી એજન્સી છે.
કેટલી જગ્યાની પડશે જરૂર:
પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર ખોલવા માટે 120 વર્ગફૂટ એરિયામાં દુકાન હોવી જોઇએ. કેન્દ્ર શરૂ કરવા માટે સરકારની તરફથી 800 દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કેટલી થશે ઇન્કમ:
જનઔષધિ કેન્દ્રની મદદથી દર મહિને જેટલી દવાઓનુ વેચાણ થશે તેનુ 20% કમિશન મળશે. દાખલા તરીકે જો તમે મહિને 1 લાખ રૂપિયાનું વેચાણ કરો છો તો તમને 20000 રૂપિયાની ઇન્કમ થશે.
અરજી કરવા માટે શું છે જરૂરી:
જનઔષધિ કેન્દ્ર ખોલવા માટે તમારી પાસે રિટેલ ડ્રગ સેલ્સનું લાઇસન્સ જનઔષધિ કેન્દ્રના નામથી હોવુ જોઇએ. અરજી કરવા માટે આધાર કાર્ડ તથા PAN કાર્ડની જરૂર પડશે. ત્યારે સંસ્થા NGO હોસ્પિટલ ચેરિટેબલ સંસ્થને અરજી કરવા માટે આધાર કાર્ડ PAN કાર્ડ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવુ પડશે.
આ રીતે કરો અરજી:
જનઔષધિ કેન્દ્ર ખોલવા માટે તમે http://janaushadhi.gov.in પર જઇને ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. અરજીને બ્યૂરો ઑફ ફાર્મા પબ્લિક સેક્ટર અડંરટેકિંગ ઑફ ઇન્ડિયા (BPPI) ના જનરલ મેનેજરના નામ પર મોકલવાનું રહેશે. બ્યૂરો ઑફ ફાર્મા પબ્લિક સેક્ટર અડંરટેકિંગ ઑફ ઇન્ડિયાના એડ્રેસ જનઔષધિની વેબસાઇટ પર જાણકારી ઉપલબ્ધ છે. જનઔષધિ કેન્દ્ર માટે ઑનલાઇન અરજી કરી શકો છો. તમારે વેબસાઇટ પર જઇને ઓનલાઇન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે જે પછી જરૂરી ડૉક્યુમેન્ટ્સ અપલોડ કરીને ફોર્મ સબ્મિટ કરવાનું રહેશે.