ઉનાળામાં લૂ લાગવાની સમસ્યા એ એક સામાન્ય સમસ્યા છે. આવામાં જાણો લૂથી બચવા શું શું કરવું જોઈએ.
ઉનાળામાં લૂ લાગવાની સમસ્યાથી લગભગ સૌ છે પરેશાન
આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા જોઈએ
ઠંડી તાસીરવાળો ખોરાક લેવો જોઈએ
લૂ ના લાગે તે માટે આટલું ધ્યાન રાખો
ઉનાળાના ધોમધખતા તડકામાં બહાર નીકળીએ એટલે લૂ લાગવાની ફરિયાદ રહેતી હોય છે. ઘણા લોકો સખત તડકામાં બહાર નીકળતાં પહેલાં ગરમીથી બચવા માટે કોઈ સાવચેતી રાખતા નથી, જેના કારણે તેમને હીટ સ્ટ્રોક થવાનો ખતરો વધી જાય છે અને તેમનું સ્વાસ્થ્ય પણ ગંભીર રીતે લથડી શકે છે.
ઉનાળાની ઋતુમાં ગરમી પડવી સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં કેટલીક બેદરકારીના કારણે ઘણા લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બને છે. ત્યારબાદ લૂઝ મોશન, ઊલટી, ડીહાઇડ્રેશન, શરીરમાં દુખાવો, થાક અને નબળાઇ આવવા લાગે છે. આ સાથે વાઈરલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ પણ ઘણી હદે વધી જાય છે. કેટલીક ખાસ ટિપ્સ અનુસરીને તમે સરળતાથી ગરમીને હરાવી
શકો છો.
શરીરને ઢાંકવું
ઉનાળામાં કેટલાક લોકો તડકા અને કાળઝાળ ગરમીના કારણે ઓછામાં ઓછાં કપડાં પહેરીને બહાર જવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં હીટ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. તેથી બહાર જતાં પહેલાં શરીરને સારી રીતે ઢાંકવાનું ભૂલશો નહીં.
કપડાં પર ધ્યાન આપો
શરીરને ગરમીથી બચાવવા માટે બહાર જતી વખતે ફુલ સ્લીવનાં કપડાં પહેરવાનો પ્રયાસ કરો. અલબત્ત, તમે સંપૂર્ણ કપડાંમાં વધુ ગરમી અનુભવી શકો છો, પરંતુ તે તમને સૂર્ય અને ગરમી બિલકુલ આપશે નહીં તેમજ ઉનાળામાં સિન્થેટિક કપડાંના બદલે લૂઝ િફિટંગનાં હળવા રંગનાં કોટનનાં કપડાં પહેરો. આ સાથે તમને ગરમી પણ ઓછી લાગશે અને તમે એકદમ આરામદાયક અનુભવશો.
આંખોને ઢાંકી દો
સૂર્ય અને ગરમીની સીધી અસર આંખો પર પડે છે, જેના કારણે તમારી આંખોમાં બળતરા, ખંજવાળ અને સોજો પણ શરૂ થઈ શકે છે. આવી સ્થિતિમાં બહાર જતી વખતે તમારી આંખો પર સનગ્લાસ પહેરવાનું ભૂલશો નહીં.
આહાર પર ધ્યાન આપો
ઉનાળામાં ખાલી પેટે બહાર જવું એ બીમારીને આમંત્રણ આપવા જેવું છે. તેથી હંમેશાં કંઈક ને કંઇક ખાધા પછી બહાર જાઓ. આ સાથે ગરમીથી બચવા માટે આમ પન્ના, શિકંજી અને શેરડીનો રસ જેવાં પીણાં પણ પી શકાય છે, તેનાથી તમારું શરીર ઠંડું રહેશે અને તમને ગરમીની અસર નહીં થાય.
આ બાબતોનું ધ્યાન રાખો
ઉનાળામાં શરીરને ઠંડું રાખવા માટે દરરોજ સ્નાન કરો અને ઘરને પણ ઠંડું રાખવાનો પ્રયાસ કરો. તે જ સમયે તડકામાંથી આવ્યા પછી તરત જ પાણી અથવા ઠંડી વસ્તુઓ પીવાનું ટાળો. આ સિવાય ઉનાળામાં સ્વસ્થ રહેવા માટે બજારની ખુલ્લી વસ્તુઓ અને કાપેલાં ફળ ભૂલથી પણ ના ખાશો નહીં, તેનાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.