જાણો રેલવે સ્ટેશન પર દુકાન ખોલવી હોય, તો શું પ્રક્રિયા કરવી પડશે અને ક્યા ક્યા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે.
રેલવે સ્ટેશન પર તમે પણ ખોલી શકો છો દુકાન
આ માટે ભારતનાં નાગરિક હોવું જરૂરી
IRCTCની વેબ સાઇટ પરથી કરી શકાય છે અપ્લાય
રેલવે વિભાગ લોકોને મુસાફરી માટે સુવિધાઓ આપવા સિવાય રોજગારની તકો પણ આપે છે. તમે રેલ યાત્રા દરમિયાન સ્ટેશન પર ઘણા પ્રકારની દુકાનો જોઈ હશે. લાખો લોકો આ દુકાનોનાં માધ્યમથી ત્યાં વ્યવસાય કરી રહ્યા છે. આવામાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે રેલવે સ્ટેશન પર દુકાન ખોલવા માંગો છો, ઓ તમને ક્યા ક્યા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે.
સ્ટેશન પર તમે ક્યા ક્યા વ્યવસાયો કરી શકો છો?
રેલવે સ્ટેશન પર તમે બુક સ્ટોલ, ચા કોફી સ્ટોલ, ફૂડ સ્ટોલ જેવા વ્યવસાય શરૂ કરી શકો છો.
દુકાનની સાઇઝ તથા લોકેશનનાં હિસાબે રેલવે તમારી પાસેથી ફીસ લેશે.
ત્યાર બાદ જે વ્યવસાય તમારે શરૂ કરવો હશે, એ હિસાબે તમારે ફીસ આપવી પડશે. બુક, ચા કોફી તથા ફૂડ સ્ટોલ માટે તમારે 40 હજારથી 3 લાખ જેટલો ખર્ચો આવી શકે છે.
ક્યા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર?
રેલવે સ્ટેશન પર દુકાન ખોલવા માટે તમે ભારતનાં નાગરિક હોવા જોઈએ.
તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે.
કેવી રીતે કરશો અપ્લાય?
તમારે IRCTCની વેબ સાઇટ પર ચેક કરવું પડશે કે જે સ્ટેશન પર તમે દુકાન લેવા માંગો છો તે માટે ટેન્ડર બહાર પડ્યું છે કે નહીં.
ત્યાર બાદ તેનું ફોર્મ ભરીને રેલવેની ઝોનલ ઓફિસ અથવા DRM ઓફિસમાં જમા કરાવવું પડશે.
આવેદન મળ્યા બાદ રેલવે તમારી ડિટેલ્સને વેરીફાઈ કરશે તથા ત્યાર બાદ તમે આ પ્રક્રિયામાં સામેલ થઈ શકો છો.