સમુદ્ર શાસ્ત્રમાં પગના તળિયાની બનાવટથી ક્યાં પ્રકારે વ્યક્તિનો સ્વભાવ તથા તેનું ભવિષ્ય જાણી શકાય છે, તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાણો કઈ રીતે પગના તળિયાથી જાણશો ભવિષ્ય
પગના તળિયાથી જાણી શકાય છે ભવિષ્ય
વ્યક્તિની પર્સનાલીટી વિષે પણ મળે છે જાણકારી
સમુદ્ર શાસ્રમાં છે ઉલ્લેખ
પગના તળિયા જણાવે છે વ્યક્તિની પર્સનાલીટી
જ્યોતિષની એક મુખ્ય શાખા છે સમુદ્ર શાસ્ત્ર. આમાં શરીરનાં અલગ અલગ અંગોની બનાવટ, આકાર - પ્રકાર, રંગ વગેરેનાં માધ્યમથી ભવિષ્ય જાણવાની રીતો જણાવવામાં આવી છે. આ રીતોથી એમ પણ જાણી શકાય છે કે વ્યક્તિનો સ્વભાવ અને તેની પર્સનાલિટી કેવી છે. આજે આપણે પગનાં માધ્યમથી ભવિષ્ય જાણવાનો પ્રયાસ કરીશું.
પગનાં તળિયા જણાવે છે ભવિષ્ય
પગના તળિયાની બનાવટ અને તેમાં બનેલા નિશાન ભવિષ્ય વિષે જણાવે છે. સમુદ્ર શાસ્ત્રમાં પગનાં તળિયામાં અમુક ખાસ નિશાનને ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે. જે લોકોનાં પગના તળિયામાં આવા નિશાન હોય છે, તેઓ ખૂબ જ નસીબદાર હોય છે.
જે લોકોનાં પગના તળિયા લાલ જેવા હોય છે, તેઓ ખૂબ જ લકી હોય છે. આવા લોકો પર માં લક્ષ્મીની કૃપા વરસે છે. તેઓ પોતાના જીવનમાં ખૂબ જ પૈસો કમાય છે.
ફાટેલી ચામડીવાળા, સૂકી સ્કીનવાળા તળિયા સારા માનવામાં આવતા નથી. આવા લોકોએ ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે.
જે લોકોના તળિયા સપાટ હોય છે, તેઓ મહેનતુ અને ઓપન માઈન્ડેડ હોય છે. આવા લોકો મદદ કરવામાં હંમેશા આગળ રહે છે. સાથે જ પોતાની સફળતા માટે પણ ખૂબ જ કોશિશો કરતા રહે છે.
સમુદ્ર શાસ્ત્ર અનુસાર, પગનાં તળિયામાં ચક્ર, કમળનાં ફૂલ, શંખ, તલવાર, સાપ કે ધ્વજનું ચિહ્ન હોવું વ્યક્તિએને ખૂબ જ ખ્યાતિ અપાવે છે.
જો તળિયામાં કોઈ રેખા એડીથી શરુ થઈને અંગુઠાનાં મધ્યભાગ સુધી પહોંચે છે, તો આવા લોકો પાસે ખૂબ જ સંપત્તિ હોય છે. તેમનું જીવન આરામમાં પસાર થાય છે.
જો તળિયા કાળા પડી ગયા હોય તો આવા લોકો દગાબાજ, સંતાનહીન કે આર્થિક તંગીનો શિકાર રહે છે. આ ઉપરાંત, તેમના જીવનમાં હંમેશા કોઈને કોઈ સમસ્યા રહે જ છે.
પીળા તળિયા જ્યોતિષ અને સ્વાસ્થ્ય બંનેનાં હિસાબે સારા માનવામાં આવતા નથી. આની પાછળ લોહીની અછત કે કોઈ બીમારી હોય શકે છે. સાથે જ આવા લોકો બીજા સાથે સારો વ્યવહાર કરતા નથી અને એટલા માટે લોકો તેમનાથી દૂર રહેવાનું પસંદ કરે છે.
એકદમ સફેદ તળિયાવાળા લોકોમાં સારા ખરાબની ઓળખાણ કરવાની ક્ષમતા નથી હોતી અને તેઓ સમજ્યા વિચાર્યા વગર ખુદનું જ નુકસાન કરાવી બેસે છે.