આવો જાણીએ વસંત પંચમી પર કામદેવની પૂજા વિધિ તથા મંત્રો વિષે. | know how to impress kamdev in order to get a successful love life
વસંત પંચમી પર કામદેવની પૂજાને માનવામાં આવે છે શુભ
કામદેવ તથા રતિની પૂજા વિધિ
કામદેવ તથા રતિનો પૂજા મંત્ર
Vasant Panchami 2022:આજે વસંત પંચમીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસે સરસ્વતી પૂજા (Saraswati Puja)નું પણ ખૂબ જ મહત્વ છે. વસંત પંચમીના દિવસે લોકો પીળા વસ્ત્રો પહેરે છે, એક બીજાને શુભકામનાઓ આપે છે. વસંત પંચમીથી વૃતુરાજ વસંતનું આગમન થાય છે. સૌના મનમાં એક નવો ઉમંગ હોય છે, પૃથ્વી પણ છોડ-વૃક્ષોની નવી કોપળો તથા સરસવનાં પીળા ફૂલોથી નવો શ્રુંગાર કરે છે. વસંત પંચમીનો પર્વ પ્રેમ તેમજ ઉમંગથી લોકોને ડુબાડી દે છે. પ્રેમ તથા કામના દેવતા કામદેવ બધા જીવોમાં ભાવ સ્વરૂપમાં નવો ઉમંગ પેદા કરે છે. જે લોકોનું વૈવાહિક જીવન અથવા લવ લાઈફમાં કોઈ સમસ્યા છે, તો આજે વસંત પંચમી પર કામદેવ તથા તેમના પત્ની રતિનું પૂજન કરવું જોઈએ. કામદેવ તથા રતિની કૃપાથી તમારી લવ લાઈફ સારી બનશે, સંબંધોમાં મધૂરતા વધશે, પ્રેમ સફળ થશે. આવો જાણીએ વસંત પંચમી પર કામદેવની પૂજા વિધિ તથા મંત્રો વિષે.
વસંત પંચમી પર કામદેવની પૂજા
કામદેવને અનંગ કહેવામાં આવ્યા છે, એટલે કે અંગ વગરના. ભગવાન શિવે તેમને વરદાન આપ્યું હતું કે તેઓ ભાવ સ્વરૂપમાં જીવંત રહેશે. કામદેવ પ્રેમ તથા કામ વધારે છે. કામદેવ તથા રતિ એકબીજાના પૂરક છે. કામદેવના ધનુષ તથા બાણ ફૂલોનાં બનેલા છે. તેનો વાર ઘાતક હોતો નથી. તેઓ પુષ્પ બાણથી લોકોમાં પ્રેમ તથા કામ ઉત્પન્ન કરે છે. વસંત પંચમીના અવસર પર કામદેવ પોતાના પત્ની રતિ સાથે પૃથ્વી પર ભ્રમણ કરે છે. આજે વસંત પંચમીના રોજ તમારે કામદેવ તથા રતિની પૂજા કરવી જોઈએ.
કામદેવ તથા રતિની પૂજા વિધિ
આજે તમે કામદેવ તથા રતિની તસ્વીર સ્થાપિત કરો. ત્યાર બાદ તેમની પૂજા કરો.
ત્યાર બાદ રતિની પૂજા કરો. રતિને શ્રુંગાર સામગ્રી પણ અર્પિત કરો.
પૂજા મંત્ર ઓમ કામદેવાય વિદ્મહે, રતિ પ્રિયાયે ધીમહિ, તન્નો અનંગ પ્રચોદયાત.
આ મંત્રથી પૂજા કરવા પર વૈવાહિક જીવનમાં મધૂરતા આવે છે. પ્રેમ સંબંધોમાં સફળતા પ્રાપ્ત થાય છે. ઉત્તમ જીવનસાથી પ્રાપ્ત થઇ શકે છે.