જીવનમાં ફેમ અને સફળતા મળવા પાછળ ઘણા ગ્રહોનું યોગદાન હોય છે. જાણો આ ગ્રહોને પ્રસન્ન કરવા માટેના સરળ ઉપાયો
જીવનમાં ફેમ મળવા પાછળ ઘણા ગ્રહોનું હોય છે યોગદાન
નબળા ગ્રહોને મજબૂત બનાવવાથી દૂર થાય છે ઘણી તકલીફો
ફેમ મેળવવા માટે ગ્રહોને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે
આજે જીવનમાં યશ, કીર્તિ મેળવવા માટે ઘણો પરિશ્રમ કરવો પડે છે અને છતાં પણ મોટાભાગના લોકોને સફળતા મળતી નથી. આ પાછળ ગ્રહોની નબળાઈ હોય છે જેથી મહેનતનું ફળ પ્રાપ્ત થતું નથી. કોઈપણ સારી કરિયર પાછળ માત્ર એક ગ્રહણો જ હાથ નથી હોતો, જ્યારે ઘણા ગ્રહોનો સહયોગ એકસાથે મળે છે, ત્યારે વ્યક્તિને ખ્યાતી મળે છે. એટલા માટે દરેક ગ્રહને પ્રસન્ન કરવા જરૂરી છે, જેથી વ્યક્તિ પર દરેક ગ્રહની કૃપા રહે.
આ પ્રકારે કરો ગ્રહોને પ્રસન્ન
સૂર્ય
સૂર્યની કૃપા મેળવવા માટે વ્યક્તિએ જળનું સેવન તાંબાનાં પાત્રમાં કરવું જોઈએ. માન્યતા છે કે ઈલાયચીનાં સેવનથી પણ સૂર્યદેવ પ્રસન્ન થાય છે. ખિસ્સામાં લાલ રંગનો રૂમાલ રાખવાથી પણ સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે. રવિવારનાં દિવસે લાલ વસ્ત્ર ધારણ કરવાથી સૂર્યદેવને ખુશ કરી શકાય છે.
ચંદ્ર
ક્રીમ કલરનાં વસ્ત્રો ધારણ કરવાથી ચંદ્રનાં શુભ પ્રભાવોનો પ્રવાહ વધે છે. જ્યારે ચાંદીનાં વાસણોનો ઉપયોગ કરવાથી ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે. ખિસ્સામાં સફેદ રંગનો રૂમાલ પણ રાખવો જોઈએ.
મંગળ
મંગળ ગ્રહની કૃપા મેળવવા માટે તાંબાનાં વાસણોનો ઉપયોગ કરવો જોઈએ, લાલ રંગનાં વસ્ત્રો ધારણ કરવાથી પણ મંગળ પ્રસન્ન થાય છે. સાથે જ ખિસ્સામાં પણ લાલ રંગનો રૂમાલ રાખવો જોઈએ. કપાળ પર લાલ તિલક કરવાથી પણ મંગળની કૃપા પ્રાપ્ત થાય છે.
બુધ
બુધ ગ્રહની કૃપા મેળવવા માટે લીલા રંગનાં વસ્રો ધારણ કરવા જોઈએ. આ સાથે જ ખિસ્સામાં લેલો રૂમાલ કે કોઈ નાનું લીલું કપડું રાખવું જોઈએ. સ્પોર્ટી લુકમાં રહેવું પણ બુધને ખૂબ જ પ્રસન્ન કરે છે. જો બુધ પ્રભાવી છે, તો વ્યક્તિ બુદ્ધિનાં બળ પર પોતાના ક્ષેત્રમાં ખુદને સ્થાપિત કરે છે.
ગુરુ
ગુરુ દેવને પ્રસન્ન કરવા માટે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ.ખિસ્સામાં પીળા રંગનો રૂમાલ રાખવો જોઈએ. મહિલાઓ પીળા રંગનાં ફૂલોની માળા પહેરે, તો પણ લાભ થશે. કેસર કે હળદરનું તિલક દરેક ગુરુવારે લગાવવું જોઈએ.
શુક્ર
દૈત્ય ગુરુ શુક્રાચાર્યની કૃપા મેળવવા માટે સિલ્વર, ચમકદાર સફેદ રંગનાં વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ખિસ્સામાં સારી ક્વોલિટીનો ચમકદાર રૂમાલ પણ રાખવો જોઈએ. સફેદ ફૂલોની માળા ધારણ કરવાથી પણ લાભ મળે છે. હીરા, પ્લેટિનમ તથા સફેદ સોનાનાં ઘરેણા ધારણ કરવાથી પણ શુક્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
શનિ
સૂર્ય પુત્ર શનિને પ્રસન્ન કરવા માટે વ્યક્તિએ વાદળી શેડવાળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ખિસ્સામાં રૂમાલ કાળા રંગનો જ રાખવો જોઈએ. બન એટલું દાન કરવું જોઈએ. કોઈ ગરીબ પાસે ચપ્પલ ન હોય તો તેમને ખરીદીને આપવા જોઈએ.
રાહુ
રાહુને પ્રસન્ન કરવા માટે ગ્રે રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ, સ્મોકી રંગ, લાઉડ કલરથી રાહુ ખૂબ જ પ્રસન્ન થાય છે. રાહુને પ્રસન્ન કરવા માટે કુતરાઓની સેવા પણ કરી શકાય છે.
કેતુ
મલ્ટી કલરનાં કપડાં પહેરવાથી કેતુ પ્રસન્ન થાય છે. ખિસ્સામાં પણ અતરંગી રૂમાલ રાખવો જોઈએ. કાંદામાં લાલ રંગની નાડાછડી ધારણ કરવી જોઈએ. ધાર્મિક ચિન્હ શરીર પર હોવા જોઈએ કેમકે કેતુ ધર્મ ધ્વજા છે.