જાણો હોળીનો તહેવાર શા માટે મનાવવામાં આવે છે, તેનું મહત્વ શું છે તથા ક્યા પ્રકારે પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે
ક્યારે મનાવવામાં આવે છે હોળી?
હોળીનું મહત્વ
હોળીની પૂજા-વિધિ
ક્યારે મનાવવામાં આવે છે હોળી?
હોળીનો તહેવાર એક એવો તહેવાર છે, જેને દરેક વ્યક્તિ પોતાના સમય, સ્થાન તથા વિચારો અનુસાર મનાવે છે. આ એક રાષ્ટ્રીય તહેવાર છે તથા હિંદુઓ માટે અત્યંત વિશેષ તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા તિથિએ હોલિકા દહન અને ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ પર મનાવવામાં આવે છે.
હોળીનું મહત્વ
પૂર્ણિમા તિથિ 17 માર્ચ 2022નાં રોજ બપોરે 1 કલાક 29 મિનિટથી આરંભ થઈને 18 માર્ચ બપોરે 12 કલાક 47 મિનિટ સુધી રહેશે. હોલિકા દહનનું અત્યંત શુભ મૂરત 17 માર્ચ 2022નાં રોજ રાત્રે 9 કલાક 20 મિનિટથી લઈને 10 કલાક 31 મિનિટ સુધી રહેશે.
પૂજા - વિધિ
હોલિકા દહન દરમિયાન અળસી, ઘઉં, વટાણા, ચણા વગેરે તમારી પાસે ઉપલબ્ધ છે તો જરૂર ચઢાવવા જોઈએ તથા ત્યાર બાદ પ્રસાદનાં રૂપમાં વહેંચવા જોઈએ. દહન દરમિયાન, ત્યાં હાજર બધા લોકોએ હોલિકાની ત્રણ પરિક્રમા કરવી જોઈએ. હોલિકા દહન બાદ તેની રાખને પુરુષ દ્વારા મસ્તક પર તિલકનાં રૂપમાં તથા મહિલાઓ દ્વારા ગળા પર લગાવવાથી તમારા ઐશ્વર્યમાં વધારો થાય છે. હોળીની રાખને ઘરમાં લાવીને છાંટવી તથા અડધી બળેલી લાકડીને ઘરના કોઈ ગુપ્ત સ્થાન પર રાખવી જોઈએ. આવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જાનો પ્રબાવ ઓછો થાય છે. ઘરમાં કામદેવની પૂજા કરવાની પણ માન્યતા છે.
ધૂળેટી
હોળીના પછીના દિવસને ધૂળેટી કહેવાય છે. આ દિવસે લોકો રંગોથી રમે છે. નાના-મોટા બધા જ ભાન ભૂલીને આ દિવસે રંગોથી રંગાઈ જાય છે. એટલા માટે જ હોળીને રંગોનો પર્વ પણ કહેવામાં આવે છે.