વરસાદની સીઝનમાં રોગોથી દૂર રહેવા માટે આહારમાં સીઝનલ ફળોનો સમાવેશ કરો. આ ઋતુમાં એવા ફળો ખાઓ જે રોગપ્રતિકારક શક્તિ અને પાચનતંત્રને મજબૂત કરે.
ચોમાસામાં જરૂર ખાઓ આ ફળો
આહારમાં કરો સીઝનલ ફળનો સમાવેશ
રોકપ્રતિકારક શક્તિ કરશે મજબૂત
વરસાદની ઋતુમાં આપણી રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી પડી જાય છે. આ ઋતુમાં પાચનતંત્ર પણ ઘણું ધીમું પડી જાય છે. ખોરાક પચાવવો મુશ્કેલ પડે છે. આવી સ્થિતિમાં તમારે ઋતુ પ્રમાણે આહારમાં થોડો ફેરફાર કરવો જ જોઈએ. તમારે ચોમાસામાં આવા ફળોનું સેવન કરવું જોઈએ જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે.
એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે તમે જે ફળો ખાઈ રહ્યા છો તેનાથી પેટમાં ઈન્ફેક્શનનો કોઈ ખતરો ન રહે. વરસાદી પાણીના ફળ ખાવાનું ટાળો. ખાસ કરીને તરબૂચ ન ખાવું જોઈએ. આજે અમે તમને એવા 5 ફળો વિશે જણાવી રહ્યા છીએ જે વરસાદની ઋતુમાં ખાવા ફાયદાકારક રહેશે.
વરસાદમાં ખાવામાં આવતા ફળ
સફરજન
રોગોથી દૂર રહેવા માટે દરરોજ એક સફરજન ખાઓ. સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે તેને કોઈપણ ઋતુમાં ખાઈ શકો છો. સવારે સફરજન ખાવાથી તમને ભરપૂર એનર્જી મળે છે. સફરજન ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોય છે. જે પાચનક્રિયાને મજબૂત બનાવે છે.
લીચી
ચોમાસુએ લીચી જેવા રસદાર ફળોની સીઝન છે. તમે લીચી ખાઓ પરંતુ થોડું ધ્યાન રાખીને કારણ કે લીચીમાં કીડા પણ પડી જાય છે. લીચી ખોરાકના પાચનમાં મદદ કરે છે. લીચી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. તેમાં એન્ટિવાયરલ ગુણધર્મો હોય છે જે તમને ચોમાસા દરમિયાન સ્વસ્થ રાખે છે.
દાડમ
દાડમનો પણ એવરગ્રીન ફળોમાં સમાવેશ થાય છે. તમે તેને કોઈપણ ઋતુમાં ખાઈ શકો છો. ચોમાસાની ઋતુમાં દાડમને તમારી ડાયેટનો ભાગ બનાવો. આ લાલ રક્તકણોને વધારે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. દાડમ એ એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર ફળ છે.
જમરૂખ
ઋતુ કોઈ પણ હોય, કહેવાય છે કે સિઝનલ ફળોને તમારી ડાયેટનો ભાગ બનાવો. તમારે ચોમાસાની ઋતુમાં જમરૂખને પણ ખાવું જોઈએ. પ્લમ્સ એટલે કે જમરૂખમાં વિટામિન સી, મિનરલ્સ અને ફાઈબર હોય છે જે ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે.
પપૈયુ
પપૈયાનો સમાવેશ પણ સદાબહાર ફળોમાં થાય છે. તમે વરસાદની ઋતુમાં પપૈયું ખાઈ શકો છો. જેના કારણે શરીરને ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણો મળે છે. પપૈયું વિટામિન A અને વિટામિન Cનો પણ સારો સ્ત્રોત છે. તેમાં પપેન નામનું એન્ઝાઇમ હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.