કાળા અને ઘટાદાર વાળ કોઈ પણ સ્ત્રીની સુંદરતામાં ચાર ચાંદ લાગવી દે છે. સ્ત્રીઓ તેમના વાળનું ખૂબજ ધ્યાન રાખે છે. વાળમાં થોડી મુશ્કેલી થાય તો તે હેરાન થઇ જાય છે અને અનેક પ્રકારનાં ઉપાયો કરે છે. મહિલાઓના વાળ માત્ર સુંદરતાની નિશાની નથી પણ તેની સાથે ઘણી બધી માન્યતાઓ જોડાયેલી છે.
માન્યતા છે કે માસિક ધર્મના પ્રથમ દિવસે વાળ ન ધોવા જોઇએ તે અશુભ ગણાય છે. આથી મહિલાઓની તકલીફો વધે છે અને નકારાત્મક શક્તિનો વધારો થાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ દિવસોમાં વાળ ધોવાથી સ્ત્રીઓને ઠંડી લાગે છે જેનાથી ગર્ભવૃત્તિમાં મુશ્કેલીઓ આવી શકે છે.
જો તમે વાળ બનાવી રહ્યા છો અને કાંસકો પડી જાય તો કોઇ અશુભ સૂચના અને કોઇ સંકટ આવવાનું સંકેત આપે છે. વાળનું સતત તૂટીને પડવું તે પણ અશુભ માનવામાં આવે છે. વાળ જો સતત ખરી રહ્યા છે અને ઘરમાં ફેલાયેલા છે તો તે કુટુંબમાં ઝઘડા પેદા કરે છે.
વારંવાર જોવામાં આવે છે કે સ્ત્રીઓ અથવા યુવતીઓને તૂટેલા વાળ ખુલ્લી જગ્યાએ ફેંકવાનું ના કહે છે એવું માનવામાં આવે છે કે ખુલ્લી જગ્યાએ વાળ ફેંકાવાથી નકારાત્મક ઊર્જા જલ્દી હાવી થઇ જાય છે.તેથી વાળ નો ઉપયોગ ટૉન ટૉટકે માટે પણ કરી શકાય છે. તેથી ખુલ્લી જગ્યાએ વાળ ફેંકવાથી સ્ત્રીઓ પર ખરાબ અસરો જોવા મળે છે. જેમ કે ડર નો ભય રહેવો મન ગભરાયેલું રહે બીમાર પડવું માનસિક અશાંતિ જેવી સમસ્યાઓ બની શકે છે.
દિવસ કરતાં રાતનાં સમયે નકારાત્મક ઊર્જા વધુ હાવી થાય છે. તેથી રાતના સમયે ખાસ કરીને વાળ બનાવવા નહીં. ખાસ કરીને ઘરની આજુબાજુ અથવા આંગણામાં તો કયારે નહી. રાતમાં વાળ ઓળવા હોય તો રૂમની અંદર જ બનાવો. એક માન્યતા એવી પણ છે કે પૂજાના સમયે સ્ત્રીઓ કયારેય પણ ખુલ્લા વાળ રાખવા નહીં.વાળ ને સરખી રીતે બાંધીને માથા પર પલ્લુ રાખો. માન્યતા એવી છે કે જો સ્ત્રી વાળ ખુલ્લા રાખે તો પૂજા પાઠ કરતી વખતે ઘરના સભ્યો માટે દુર્ભાગ્ય આવે છે. પૂજનના સમયે વાળને ખુલ્લા રાખવાથી દેવો નરાજ થાય છે અને પૂજનનો કોઇ લાભ મળતો નથી.
હિન્દુ પરંપરામાં નવજાત શિશુનું મુંડન કરવાની પ્રથા છે. માન્યતા છે કે ઘરની દેવી દેવતાના સ્થાન અથવા કોઇ નદી કિનારે વાળ ઉતરવામાં આવે છે. મુંડનના પહેલાંથી પોતે જ શિશુના વાળ કાપે અથવા નાઇ થી કાપવે તો તે અશુભ ગણાય છે. શિશુના મુંડન પહેલાં જો તેના વાળ ઊતરતા અથવા તૂટતા હોય તો તે વાળને ભેગા કરવા જોઇએ. મુંડન કરે ત્યારે આ વાળ પણ મુંડન કરી ઉતરેલા વાળ ને એક સાથે રાખો.જો શિશુના ઊતરતા અથવા તૂટેલા વાળ કુંડામાં અથવા ઘરની બહાર નીકળી જાય તો તે શિશુનું આરોગ્ય ખરાબ રહે છે અને તેના પર ખરાબ નજરો અસર કરે છે.