દરેક રાજ્યમાં રાશન કાર્ડ બનાવવાની રીત અલગ અલગ હોય છે અને 3 પ્રકારમાં રાશન કાર્ડ બનાવાય છે.
આ છે રાશન કાર્ડ બનાવવાની રીત
જાણો સરળ પ્રોસેસ અને કરો અરજી
અરજી સાથે આ શરતો પણ રહેશે સામેલ
રાશન કાર્ડ એક જરૂરી દસ્તાવેજ છે અને તેની મદદથી સરકારી વિતરણ પ્રણાલીના આધારે યોગ્ય દરે દુકાનોથી ઘઉં, ચોખા વગેરે બજાર ભાવથી ઓછા ભાવે ખરીદી શકાય છે. રાશન કાર્ડને 3 વર્ગોમાં વહેંચવામાં આવે છે અને તેના આધારે રાશન અપાય છે. દરેક રાજ્યમાં રાશન કાર્ડ બનાવાવની પ્રોસેસ અલગ અલગ હોય છે.
સરકારે વન નેશન વન રાશન કાર્ડ જાહેર કર્યા
હાલમાં સરકારે વન નેશન વન રાશન કાર્ડની યોજના લાગૂ કરવાની જાહેરાત કરતાની સાથે તેને ખાસ ડોક્યૂમેન્ટ ગણવામાં આવી રહ્યો છે. તો જાણો કઈ રીતે બનાવી શકાય છે રાશન કાર્ડ.
રાશન કાર્ડના પ્રકાર
રાશન કાર્ડના 3 પ્રકાર હોય છે. બીપીએલ, એપીએલ અને એએવાઈ વર્ગ. બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઈન. આ કાર્ડ એ ગરીબ પરિવારોને આપવામાં આવે છે જે ગરીબી રેખાથી નીચે આવે છે. આ કાર્ડ ધારકોને સરકાર 25-35 કિલો અનાજ આપે છે. આ સાથે એપીએલ એટલે કે અબોવ પોવર્ટી લાઈન. આ કાર્ડ એ ગ્રાહકોને અપાય છે જે ગરીબી રેખાથી ઉપર છે. તેમાં સરકાર તમને 15 કિલો સુધી અનાજ આપે છે. ત્રીજું કાર્ડ છે એએવાઈ એટલે કે અંત્યોદયા કાર્ડ. આ કાર્ડ એ ગ્રાહકોને અપાય છે જેઓ બહુ જ ગરીબ છે અને ગરીબી રેખાથી પણ નીચે હોય છે. રાજય સરકાર આ પરિવારોને મહિને 35 કિલો અનાજ પૂરું પાડે છે.
કેવી રીતે બનાવાશે રાશન કાર્ડ
રાશન કાર્ડ રાજ્ય સરકારનો તરફથી જાહેર કરાય છે. દરેક રાજ્યોમાં રાશન કાર્ડ બનાવવાની સિસ્ટમ અલગ અલગ હોય છે. તમે ઓફલાઈન પણ બનાવડાવી શકો છો. આ સિવાય યૂપીના નિવાસીઓ રાશન કાર્ડ માટે https://fcs.up.gov.in/FoodPortal.aspx અહીં ક્લિક કરી શકે છે. આ સાથે અહીં તમને એક્સેસ ફોર્મને ડાઉનલોડ કરવાનું રહે છે. તે પછી જે ડિટેલ્સ માંગી હોય તે ભરવાની રહે છે. જાણકારી ભર્યા બાદ તમારા વિસ્તારના ડીલર કે ખાદ્ય આપૂર્તિ વિભાગને આપી આવો. સાથે ફોર્મ સબમિટ કર્યા બાદ તેની રસીદ પણ લો.
આ ડોક્યૂમેન્ટ્સની રહેશે જરૂર
રાશન કાર્ડ બનાવવા માટે જે ડોક્યૂમેન્ટ્સની જરૂર રહે છે તેમાં આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, હેલ્થ કાર્ડ, આવરનું પ્રમાણપત્ર, એડ્રેસ પ્રૂફ, બેંકની પાસબુક, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ સાઈઝ ફોટો અને પાન કાર્ડની જરૂર રહે છે.
આ લોકોને મળી શકે છે રાશન કાર્ડ
રાશન કાર્ડ બનાવવા માટે ભારતના નાગરિક હોવું જરૂરી છે.
અરજદાર પાસે કોઈ અન્ય રાશન કાર્ડ હોવું જોઈએ નહીં.
અરજદારની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
18 વર્ષથી નાની ઉંમરના બાળકોનું નામ માતા પિતાના રાશન કાર્ડમાં સામેલ કરી શકાય છે.
રાશન કાર્ડ પરિવારના મુખ્ય વ્યક્તિના નામે હોય છે.
રાશન કાર્ડમાં સામેલ સભ્યોનો ઘરના મુખ્ય વ્યક્તિ સાથે સંબંધ હોવો જરૂરી છે.