વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે દિવાળી સુધી દેશના 80 કરોડ લોકોને વિના મૂલ્યે અનાજ મળશે. આ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) અંતર્ગત મફતમાં રાશન વિતરણ કરવાની યોજના દિવાળી સુધી લંબાવી છે.
દિવાળી સુધી સરકારની આ યોજનાનો લઈ લો લાભ
રાશન કાર્ડ નહીં હોય તો પણ મેળવો મફત અનાજ
દિવાળી સુધી દેશના 80 કરોડ લોકોને વિના મૂલ્યે અનાજ મળશે
બીજા શબ્દોમાં કહીએ તો હવે કેન્દ્ર સરકાર નવેમ્બર 2021 સુધી ગરીબોને મફત અનાજ આપશે. પીએમ મોદીએ કહ્યું કે ગયા વર્ષે કોરોના સંકટ દરમિયાન દેશના 80 કરોડ લોકોને ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 8 મહિના માટે મફત રાશન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આ યોજના મે-જૂન 2021 સુધી લંબાવાઈ. હવે પીએમ ગરીબ કલ્યાણ યોજના દિવાળી સુધી લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જાણો આ યોજના માટે કેવી રીતે અરજી કરવી
જો તમે પણ સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો સૌ પ્રથમ તમારે કોઈ પણ બેંકમાં તમારું ખાતું ખોલવું પડશે. પીએમ ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવું જરૂરી છે. આ ફોર્મ દ્વારા, સરકારને ખબર પડશે કે તમારી પાસે કેટલી સંપત્તિ છે. આ પછી, જો તમે ગામમાં રહો છો તો તમારે ગ્રામ પંચાયતમાં જવું પડશે અને તમારું નામ નોંધાવવું પડશે. જો તમે શહેરમાં રહો છો તો તમારે પાલિકામાં જવું પડશે અને સંપર્ક કરવો પડશે. આ યોજનામાં ગરીબ વર્ગના લોકો રાશનકાર્ડ વિના પણ મફત અનાજ લઈ શકે છે.
યોજના અંતર્ગત આ રીતે મળે છે અનાજ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં એક પરિવારને 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો ચણા આપવાની જોગવાઈ છે. આ મફત 5 કિલો અનાજ રાશનકાર્ડ પર ઉપલબ્ધ અનાજના હાલના ક્વોટા ઉપરાંતનું છે. યોજના અંતર્ગત અનાજ લેવા માટે તમારે રાશનકાર્ડની જરૂર નથી. આ અંતર્ગત જરૂરીયાતમંદોને માત્ર આધારકાર્ડથી પણ રાશન મળે છે. જોકે, આ લાભ લેવા માટે તમારે આ યોજના હેઠળ તમારા આધાર કાર્ડ દ્વારા નોંધણી કરાવવી પડશે. નોંધણી પર તમને એક સ્લિપ આપવામાં આવે છે. આ સ્લિપ બતાવીને તમે મફત અનાજ મેળવી શકો છો.