ભાજપમાંથી ત્રણ વખત ધારાસભ્ય બન્યા અને પછી કોંગ્રેસમાંથી ત્રણ વખત ચૂંટણી હારનારા દિગ્ગજ પાટીદાર નેતા ધીરુ ગજેરા કોણ છે અને સુરતમાં તેમનાથી ભાજપને શું મળશે જાણો
સુરતમાં ધીરૂ ગજેરાએ ભાજપનો ખેસ ધારણ કર્યો
ભાજપ પક્ષમાંથી ધારાસભ્ય પણ બન્યા હતા
સી.આર.પાટીલે ધીરૂ ગજેરાને ભાજપમાં આવકાર્યા
સુરતમાં ભાજપે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પાટીદાર આગેવાન ધીરુ ગજેરાની ઘર વાપસી થશે. આજે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. અગાઉ Vtv સાથેની વાતચીતમાં ભાજપમાં જોડાવાને લઇ ધીરૂ ગજેરાએ કહ્યું હતું કે, કોંગ્રેસમાંથી હું 3 વિધાનસભા અને 1 લોકસભાની ચૂંટણી હાર્યો છું. ત્યારે ભાજપના ઘણા મિત્રોએ ઘરવાપસી કરવા આગ્રહ કર્યો હતો. કોંગ્રેસમાં ઉમેદવારોને સંગઠનથી લઇને કોઇ સહકાર નથી મળતો. જ્યારે ભાજપના કાર્યકરોમાં અસંતોષ હોય તો પણ તેઓ ભાજપ માટે જ કામ કરે છે. કોંગ્રેસમાં સંગઠનનો સહકાર ન મળતા હાર થાય છે. સાથે જ તેઓએ કહ્યું કે હું કોઇ શરતો સાથે ભાજપમાં નથી આવ્યો. પાર્ટી જે કામ સોંપશે તે કરીશ. અને ટિકિટ આપવી ન આપવી પાર્ટીનો અધિકાર છે.
કોણ છે ધીરૂ ગજેરા?
સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજથી આવે છે ધીરૂ ગજેરા
ગુજરાતના રાજકારણમાં ધીરૂ ગજેરાનું નામ ખુબ મોટું છે
અગાઉ ભાજપના જ સદસ્ય અને જાણીતા નેતા હતા
ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા હતા ધીરૂ ગજેરા
વર્ષ 1995થી વર્ષ 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યાં
ધારાસભ્ય પણ રહ્યાં ધીરૂ ગજેરા
વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં વરાછા પરથી ઉમેદવાર રહ્યાં
કોંગ્રેસના ઉમેદવાર તરીકે 3 વિધાનસભા અને 1 લોકસભાની ચૂંટણી હાર્યા
ભાજપને શું ફાયદો થઇ શકે?
પાટીદાર સમાજ સાથે જોડાયેલા હોવાથી કોંગ્રેસને ફટકો પડી શકે
સુરતના રાજકારણમાં મોટો ફેરફાર થઇ શકે છે
ભાજપ પાટીદારોના મત મેળવી શકે છે
મહેશ સવાણી વિરૂદ્ધ ધીરૂ ગજેરાની રણનીતિ
AAP નેતા મહેશ સવાણી સામે મજબુત પાટીદાર ચહેરો ધીરૂ ગજેરા
ધીરૂ ગજેરાએ કોંગ્રેસ વિશે શું કહ્યું હતું?
કોંગ્રેસમાંથી હું 3 વિધાનસભા અને 1 લોકસભાની ચૂંટણી હાર્યો
કોંગ્રેસમાં સંગઠનનો સહકાર ન મળતા હાર થાય છે
કોંગ્રેસમાં ઉમેદવારોને સંગઠનથી લઇને કોઇ સહકાર નથી મળતો
કોંગ્રેસ આગેવાન ધીરુ ગજેરા ભાજપમાં જોડાશે
આવતીકાલે ધામધૂમ સાથે ભાજપમાં જોડાશે
સાંજે 4 કલાકે સુરત ભાજપ કાર્યાલય ખાતે ભાજપમાં પ્રવેશ કરશે
ધીરુ ગજેરાની સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાશે
ધીરુ ગજેરા 2007માં ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા હતા
ભાજપમાંથી તેઓ ધારાસભ્ય પણ બન્યા હતા
ધીરુભાઈનો રાજકીય રેકોર્ડ
ભાજપમાંથી જીત્યા
કોંગ્રેસમાંથી હાર્યા
1995
2007
1998
2012
2002
2017
સી.આર પાટીલનો AAP પર કટાક્ષ
સુરતમાં ધીરુ ગજેરાના સ્વાગત કાર્યક્રમમાં સી.આર પાટીલે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું, પાટીદારના હાથમાં દંડો શોભે, ઝાડુ કેવી રીતે પકડી શકાય. હમણાં કેટલાક લોકો નીકળી પડ્યા છે પણ એ તો સમયે ખબર પડશે.