આપણો ખોરાક અને લાઈફસ્ટાઈલ જ આપણને રોગોથી બચાવવામાં મદદ કરે છે. ત્યારે આજે અમે તમને એવી ટિપ્સ જણાવીશું, જેને અપનાવવાથી કેન્સર થવાનું જોખમ ઘટી જાય છે. ચાલો જાણીએ.
ખોરાક અને લાઈફસ્ટાઈલ જ રોગોથી બચાવે છે
કેન્સર થવાનું જોખમ ઘટાડે છે આ ટિપ્સ
રોગોથી બચવું હોય તો આ નિયમો અપનાવી લો
હેલ્ધી ફૂડથી ફક્ત કેન્સરથી દૂર જ નથી રહેવાતું, પરંતુ જો એક વાર કેન્સર થયું હોય તો હેલ્ધી ફૂડથી તેને ફરી થતું અટકાવી શકાય છે. કોઈ પણ પ્રકારના કેન્સરમાં 30થી 40% કેન્સર થવા માટે ખોરાક જવાબદાર છે.
આ ટિપ્સ અપનાવો
સાદુ, સુપાચ્ય અને ઘરનો ખોરાક ખાવાથી પાચનતંત્ર સારું રહે છે અને પાચન ઠીક રહેવાથી રોગો થવાનો ખતરો ઓછો થાય છે.
આજકાલ ફળ-શાકભાજી પર પેસ્ટિસાઇડ્ઝ ખૂબ છાંટવામાં આવે છે માટે ઓર્ગેનિક ખોરાક(છાણિયા ખાતર)માંથી બનાવવામાં આવતા ફળ-શાકભાજી ખાવાથી કેન્સર થવાની સંભાવના ઘટે છે. બને ત્યાં સુધી શાકાહાર ખાવાનો આગ્રહ રાખો.
વધુ પડતી કેલરીવાળો ખોરાક ખાસ કરીને વધુ તેલવાળો, તળેલો, ઘીવાળો ખોરાક ખાવાથી વજન વધે છે. જેથી શરીરમાં એસ્ટ્રોજનનો વધારો થાય છે. જેના કારણે સ્તન કેન્સર થઈ શકે છે.
વધુ પડતા તળેલા, ઘીવાળા ખોરાક જ્યારે સ્ત્રીઓ નાની ઉંમરે ખાવા માંડે છે ત્યારે કદાચ ભલે વજન ન વધે, પરંતુ તેના કારણે મોટી ઉંમરે બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે.
જો બાળકોને નાનપણથી જ જંકફૂડથી દૂર રાખીએ, ઘરનું બનાવેલું ઓછા તેલનું ખાવાનું આપીએ અને તેમનું વધુ પડતું વજન ન થાય તેની કાળજી રાખીએ તો મોટી ઉંમરે કેન્સર ડેવલપ થવાના ચાન્સ ઘટી જાય છે.
બને ત્યાં સુધી વધુ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરો. ફ્લેક્સસીડ્સ, પમ્પકીન સીડ્ઝ, સનફ્લાવર સીડ્ઝ ખાવાનું રાખો.
દિવસ દરમિયાન 10થી 12 ગ્લાસ પાણી પીવો, જેથી કબજિયાતને દૂર રાખી શકાય.
ખાસ કરીને આદુનો રસ, તુલસી, લીંબુ, ગાજર-બીટનો રસ, તાજી હળદરના રસનો વપરાશ વધારો.
એનિમલ પ્રોડક્ટ એટલે કે દૂધ અને દૂધની બનાવેલી વસ્તુઓમાંથી બનાવેલા ખોરાક કરતાં ફળ અને શાકભાજીવાળો ખોરાક વધુ પસંદ કરવો જરૂરી છે. દૂધની જગ્યાએ સોયામિલ્ક વાપરી શકાય છે.
દવાઓને લીધે વારંવાર આવતા ઊબકા અને ઊલટીને દૂર રાખવા સૂકવેલું આદું-આમળાં વગેરેનો ઉપયોગ કરો.