જો તમે પ્રધાનમંત્રી કાર્યાલયમાં કોઈ ફરિયાદ કરવા ઈચ્છો છો તો તમે પીએમ ઓફિસના ઓનલાઈન પોર્ટલની મદદ લઈને તમારું કામ સરળ રીતે કરી શકો છો.
PM મોદીને મોકલવી છે તમારી ફરિયાદ?
જાણો ઓનલાઈન કમ્પ્લેનની શું છે સરળ પ્રોસેસ
પીએમ ઓફિસના ઓનલાઈન પોર્ટલની મદદ લઈને કામ કરી શકશો
અનેક વાર લોકો કેટલાક સરકારી વિભાગોના કામની રીતથી પરેશાન રહે છે. તેમની ફરિયાદ રહે છે કે સરકારી વિભાગમાં તેમની વાત સાંભળવામાં આવતી નથી. આવા લોકો અનેક ઉચ્ચ અધિકારી કે સરકારી પોર્ટલ પર ફરિયાદ કરી શકે છે પરંતુ તેઓ તેમની કાર્યવાહીથી સંતુષ્ટ હોતા નથી, આ સ્થિતિમાં અનેક લોકોની ઈચ્છા રહે છે કે તેઓ તેમની ફરિયાદ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચાડે જેથી તેની પર એક્શન લઈ શકાય. જો તમારી સાથે પણ આવું બને છે તો તમે પણ પ્રધાનમંત્રી કાર્યલયમાં ફરિયાદ કરવા ઈચ્છો છો તો તેના માટે સરળ ઓનલાઈન પ્રોસેસ તમારી મદદ કરશે. તમે તમારી ફરિયાદ પીએમ ઓફિસની તરફથી અને કઈ રીતે કરી શકો છો તે પણ જાણો.
પીએમ ઓફિસમાં કઈ રીતે કરી શકાય છે ફરિયાદ ?
તમે પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઈટ https://www.pmindia.gov.in/hi પર જાઓ. આ પછી પીએમ સાથે વાતચીત કરો. પ્રધાનમંત્રી લખેલા પર ક્લિક કરો. તમે પ્રધાનમંત્રીને જે મેસેજ લખવો હોય તે લખો. આ લિંક પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઈટ www.pmindia.gov.in/hiના હોમપેજ પર પણ તમને મળી રહે છે. આ પછી તમારી સામે CPGRAMS પેજ ખુલશે અને અહીં ફરિયાદ કરી શકાય છે. આ પછી એક રજિસ્ટ્રેશન નંબર આવે છે. નાગરિક પાસે ફરિયાદ સંબંધિત દસ્તાવેજને અપલોડ કરવાનો વિકલ્પ પણ અહીં રહે છે. તેમાં તમે તમારી માંગેલી જાણકારી ભરી શકો છો. આ સાથે ફરિયાદની સાથે પર્સનલ માહિતિ પણ ભરવાની રહે છે.
ફરિયાદ લખીને પણ મોકલી શકો છો
જો તમે ફરિયાદ માનનીય પ્રધાનમંત્રી / પ્રધાનમંત્રી કાર્યાલયને પોસ્ટની મદદથી મોકલવા ઈચ્છો છો તો તેના માટે એક એડ્રેસ છે.
પ્રધાનમંત્રી કાર્યાલય, સાઉથ બ્લોક, નવી દિલ્હી- 110011.
આ સિવાય તમે ફેક્સ કરવા ઈચ્છો છો તો તમે FAX No. 011-23016857 ની મદદ પણ લઈ શકો છો.
કેવી રીતે થાય છે કાર્યવાહી તે પણ જાણો
પ્રધાનમંત્રી કાર્યાલયને મોટી સંખ્યામાં ફરિયાદો મળતી રહે છે. જે અલગ અલગ મંત્રાલયો/ વિભાગો કે રાજ્યો / સંઘ શાસિત સરકારોના વિષય સાથે સંબંધિત હોય છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જનતા પ્રકોષ્ઠમાં પત્રો પર કાર્યવાહી કરવાના સંબધમાં એક ટીમ હોય છે જેની મદદથી ફરિયાદ પર કામ કરી શકાય છે. આ સાથે લોક ફરિયાદ નિકાલ અને મોનિટરિંગ પ્રણાલીના માધ્યમથી ફરિયાદ કર્તાને જવાબ પણ અપાય છે.