ભારતીયો દિવાળીમાં અને ખાસ કરીને ધનતેરસ પર ઘરેણાની ખરીદી કરતા હોય છે. કોરોનાકાળમાંથી બહાર આવ્યા બાદ પણ પરંપરા પ્રમાણે સોનુ લેવામાં આવશે. ત્યારે કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી છે.
સોનુ ખરીદતા પહેલા ધ્યાન રાખો
ઓનલાઇન ખરીદીમાં પણ ધ્યાન રાખો
સોનાના દાગીના 24 કેરેટના નથી બનતા
જો તમે પણ આ સિઝનમાં સોનુ ખરીદવા માંગતા હોવ તો અમુક બાબતોનું ખુબ ધ્યાન રાખવું જોઇએ. ખાસ કરીને જો તમે ઓનલાઇન ખરીદી કરવાના છો તો તેમાં આ પ્રકારની સમસ્યા ઓછી થાય છે પરંતુ જ્વેલરી શોપમાં જઇને ખરીદી કરવાના હોવ તો તમારે સતર્ક રહેવું પડશે.
રાખો આ ધ્યાન
સોનાના ભાવ બજારમાં કેરેટ પ્રમાણે અલગ અલગ હોય છે. જ્યારે તમે દુકાનમાંથી ઘરેણા ખરીદો છો તો બિલમાં ચોક્કસપણે જુઓ કે તેમાં ક્યા ક્યા ચાર્જ નાંખવામાં આવ્યા છે.
ઘણી વાર ગ્રાહકની જાણબાર કેટલાક ચાર્જીસ નાંખી દેવામાં આવે છે અને ગ્રાહક પણ તે ચૂકવી દેતા હોય છે.
ચકાસણી કરો
કેન્દ્ર સરકાર પ્રમાણે ગ્રાહકને માત્ર 3 વસ્તુઓની ચૂકવણી કરવાની રહે છે. સોનાની જ્વેલરીના વજનના હિસાબથી કિંમત, મેકિંગ ચાર્જ અને GST.
મેકિંગ ચાર્જમાં બાર્ગેનિંગ કરો
સોનાના દાગીના 24 કેરેટના નથી બનતા તે 22 કે 18 કેરેટના બને છે. માટે તેનો રિટેલ ભાવ પણ જાણી લેવો જરૂરી બને છે.
હોલમાર્કવાળી જ્વેલરી
હંમેશા પાકુ બિલ લો અને હોલમાર્કવાળી જ્વેલરી જ ખરીદો. કારણકે જ્યારે ભવિષ્યમાં તમે ઘરેણા વેચો તો તમને સારી કિંમત મળે.