વૃષભ રાશિનાં સ્વામી શુક્ર હોય છે. આવામાં જાણો વૃષભ લગ્નનાં જાતકોનો સ્વભાવ કેવો હોય છે.
શુક્ર છે વૃષભ રાશિનાં સ્વામી
દેખાવમાં ખૂબ જ સુદર હોય છે વૃષભ લગ્નનાં જાતકો
ધાર્મિક અને ઈમાનદાર પણ હોય છે આ લગ્નનાં જાતકો
વૃષભ લગ્નવાળા લોકો પોતાની કિસ્મતને ખુદ ચમકાવે છે. તેઓ ખૂબ જ સારા સલાહકાર હોય છે, ઈમાનદારી સાથે સલાહ આપે છે અને કોઈને પણ ઓળખવામાં ખોટ ખાતા નથી. તેમનું પ્રારંભિક જીવન ભલે સંઘર્ષથી ભરેલ હોય, પરંતુ મધ્યકાળ અને અંત સુખમય રહે છે. તેઓ ધાર્મિક, સહિષ્ણુતાથી પરિપૂર્ણ હોવાની સાથે સાથે દુઃખના સમયે સહનશીલ પણ હોય છે. જોકે તેમને પોતાના જીવનમાં ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે.
સુંદર અને મોટી આંખો ધરાવે છે વૃષભ રાશિનાં જાતકો
આજે આપણે વાત કરશું વૃષભ રાશિનાં જાતકોની. વૃષભ, કાળ પુરુષની કુંડળીમાં બીજી રાશિ જ્હોય છે. આ રાશિનું ચિહ્ન છે બળદ. બળદ એટલે કે વૃષભ ખેતી સાથે જોડાયેલા હોય છે. બળદ ધરતીથી અનાજ કાઢે છે. તેમનો આધ્યાત્મિક અર્થ એ છે કે આ શિવ પરિવારનો એક સદસ્ય છે. તે કૃતિકા નક્ષત્રનાં ત્રણ ચરણ, રોહિણીનાં ચાર ચરણ, મૃગશિરાનાં બે ચરણોથી મળીને બની છે. તેની ગણના સૌમ્ય રાશિઓમાં થાય છે. આ રાશિ દક્ષિણ દિશાની રાશિ છે. સ્થિર સ્વભાવવાળી આ સ્ત્રી જાતિની રાશિ છે. મેષની જેમ જ આનો પણ પીઠથી ઉદય થાય છે. 4થી 30 અંશ સુધી ચંદ્રમા મૂળ ત્રિકોણમાં હોય છે. છાયા ગ્રહ રાહુ પણ આ રાશિમાં ઉચ્ચ હોય છે અને કેતુ નીચ હોય છે. આ રાશિનાં જાતકોની આંખો ખૂબ જ સુંદર હોય છે.
વ્યક્તિવ હોય છે આકર્ષક
આવા વ્યક્તિ ખૂબ જ આકર્ષક પર્સનાલીટી ધરાવે છે. તેઓ ઈમાનદારીથી સલાહ આપે છે અને વ્યક્તિને પારખવામાં પણ કુશળ હોય છે. આવા જાતકો વફાદાર પણ હોય છે.
દેવ સ્થળો પર ફરવાનાં શોખિન
આ રાશિનાં જાતકો જલ્દી સ્થાન પરિવર્તન કરતા નથી અને જો કરે છે તો સમજી વિચારીને જ કરે છે. આ રાશિનાં જાતકોને દેવ સ્થળોએ ફરવાનો ખૂબ જ શોખ હોય છે. આ લગના લોકો અન્યની સરખામણીમાં ખૂબ જ મહેનતુ હોય છે. આ રાશિનાં સ્વામી શુક્ર છે એટલા માટે જ આ ભાગ્યશાળી રાશિ પણ માનવામાં આવે છે.
શનિ છે પરમ મિત્ર
વૃષભ લગ્નનાં જાતકો સ્પષ્ટ બોલવાવાળા અને કુટુંબ સાથે રહેનારા હોય છે. આ લોકોમાં સ્નેહની ભાવના વધારે હોય છે. આ લગ્નની કુંડળીમાં શનિ ખૂબ જ સારા પરિણામ આપે છે કેમકે શનિ શુક્રનાં ખૂબ જ સારા મિત્ર છે. શનિ કર્મ અને લાભનાં સ્વામી છે. બુધ પણ આ લગ્નનાં જાતકોને શુભ ફળ આપે છે. આ જ એકમાત્ર રાશિ છે, જ્યાં બુધ બુદ્ધીનાં સ્થાન પર ઉચ્ચ હોય છે અને બુધની બીજી રાશિ એટલે કે મિથુન બીજા ભાવમાં પડે તો જાતકોને વાણી, કુટુંબ અને પ્રારંભિક શિક્ષા વગેરે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
કલ્પનાશીલતા હોય છે પ્રમુખ ગુણ
ચંદ્રને ત્રીજા ઘરનું સ્વામિત્વ પ્રાપ્ત થવાથી જાતકને રંગભૂમિ, શાસ્ત્રીય સંગીત વગેરેમાં પણ રૂચી હોય છે. ચંદ્ર ઉચ્ચ થઈને લગ્નમાં બેસી જાય છે, તો જાતક વધારે કલ્પનાશીલ હોય છે.
કરવી જોઈએ સૂર્યની ઉપાસના
આ રાશિના જાતકોએ સુખ મેળવવા માટે સૂર્યદેવને પ્રસન્ન કરવા જોઈએ. સિંહ રાશિ ચોથા ભાવમાં આવે છે એટલે કે સુખનું ઘર અને સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે, તેથી ઘરની સુખ-શાંતિ માટે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ. વૃષભ રાશિના લોકો માટે મંગળ બહુ સારું પરિણામ આપતું નથી, કારણ કે મંગળની પ્રથમ રાશિ બારમા મેષમાં અને બીજી રાશિ વૃશ્ચિક સાતમામાં આવે છે. મંગળના શુભ પરિણામ માટે વ્યક્તિએ બાળપણથી જ હનુમાનજીની પૂજા કરવી જોઈએ જેથી કરીને પાછલા જન્મોમાં થયેલી ભૂલોની ક્ષમાની પ્રાર્થના કરી શકાય.
ધાર્મિક હોય છે વૃષભ લગ્નનાં જાતકો
ગત જન્મોના કર્મોના આધારે વ્યક્તિને લગ્ન રાશિ પ્રાપ્ત થાય છે. આ રાશિના વતનીએ ધ્યાનમાં રાખવું જોઈએ કે કાલ પુરૂષની કુંડળીમાં, ધનુ રાશિ તેમના આઠમા ભાવમાં આવે છે. અષ્ટમ એટલે જમીન નીચે દટાયેલી વસ્તુ. કહેવાનો અર્થ એ છે કે કંઈક મેળવવા માટે તમારે જમીન ખોદવી પડશે, તેથી જ તમને વૃષભ મળ્યો છે જેથી તમે તમારા ભાગ્યને જમીનની નીચેથી ફળદાયી બનાવી શકો. અષ્ટમ અને અગિયારમું (લાભ) બંનેનો સ્વામી ગુરુ છે અને મહેનત કરનારાઓ પર જ ગુરુ પ્રસન્ન થાય છે.