તિરુપતિ બાલાજી મંદિરના દર્શન કરવા ઇચ્છતા હો તો આઇઆરસીટીસી તમારા માટે એક ખાસ પેકેજ લાવ્યુ છે. આ પેકેજમાં તમને તિરુપતિ ઉપરાંત દેવી પદ્માવતી મંદિર અને કાલહસ્તી મંદિરના દર્શનનો મોકો પણ મળશે.
ભારતની સાથે દુનિયાભરના લોકો ભગવાન વેંકટેશ્વરના દર્શન કરવા આંધ્રપ્રદેશના તિરુપતિ પહોંચે છે. જો તમે પણ તિરુપતિ બાલાજીના દર્શન કરવા ઇચ્છતા હો તો આઇઆરસીટીસી તમારા માટે એક ખાસ ટુર પેકેજ લાવ્યુ છે. આ પેકેજમાં તમને તિરુપતિ ઉપરાંત તિરુચાનુરમાં દેવી પદ્માવતી અને કાલહસ્તી મંદિરના દર્શનનો મોકો મળશે. આઇઆરસીટીસીના આ પેકેજનું નામ તિરુપતિ દેવસ્થાન્મ છે.
આઇઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઇટ પર તેની જાણકારી અપાઇ છે. તે અનુસાર આ ટુરની શરુઆત 22 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીથી થશે. એક રાત અને બે દિવસના આ ટુર પેકેજમાં યાત્રિઓ દિલ્હીથી તિરુપતિ અને તિરુપતિથી દિલ્હી વાયા ચેન્નાઇ આવવા જવાની ફ્લાઇટ ટિકિટ, એક બ્રેકફાસ્ટ, એક ડિનર, એસી ગાડીમાંથી સાઇટસીઇંગ અને રાતે રોકાવા માટે ડિલક્સ હોટલમાં એસી રુમ વ્યવસ્થા સામેલ છે. આ ઉપરાંત કોઇ પણ પ્રકારની અન્ય સુવિધા માટે તમારે અલગથી ખર્ચ કરવો પડશે.
પેકેજ ટેરિફની વાત કરીએ તો આઇઆરસીટીસીના આ પેકેજની કિંમત અલગ અલગ છે. સિંગલ ઓક્યુપન્સી એટલે કે એક વ્યક્તિ માટે બુકિંગ કરાવવા તમારે 18,710 રુપિયા ખર્ચવા પડશે. ડબલ ઓક્યુપેન્સી માટે પ્રતિ વ્યક્તિ 16,800 રુપિયાનો ખર્ચ કરવો પડશે. ટ્રિપલ ઓક્યુપેન્સી માટે પ્રતિ વ્યક્તિ 16,670 રુપિયાનો ખર્ચ કરવો પડશે. જો તમારી પાસે બાળક પણ હોય અને તેની ઉંમર 5થી 11 વર્ષ હોય તો બાળક માટે બેડ નહીં લો તો તમારે 15,735 રુપિયા ચુકવવા પડશે. 2 થી 4 વર્ષના બાળક માટે 12,020 ચુકવવા પડશે.
ટુરની ડેટ તમારે પસંદ કરવાની રહેશે. આઇઆરસીટીસી તરફથી ફેબ્રુઆરીની 22, 29, માર્ચ મહિનામાં 7, 14 અને 21 , એપ્રિલ મહિનામાં 4, 11, 18 અને 25, મે મહિનામાં 02, 09, 16,23 અને 30 તારીખ ફાઇનલ કરાઇ છે.