આપણે જેટલો સારો ખોરાક ખાઈશું, આપણું સ્વાસ્થ્ય એટલું જ સારું રહેશે અને જો સાથે થોડી કાળજી રાખી લેવામાં આવે તો ગંભીર અને ભયાનક બીમારીઓથી પણ બચી શકાય છે. એવી જ એક જીવલેણ બીમારી છે કેન્સર. કોઈ પણ પ્રકારના કેન્સરમાં 30થી 40% કેન્સર થવા માટે ખોરાક જવાબદાર છે. તો ચાલો જાણીએ આ બીમારીથી બચવા શું ધ્યાન રાખવું.
વધુ પડતા તળેલા, ઘીવાળા ખોરાક જ્યારે સ્ત્રીઓ નાની ઉંમરે ખાવા માંડે છે ત્યારે કદાચ ભલે વજન ન વધે પણ શરીરમાં એસ્ટ્રોજનનો વધારો થાય છે. જેના કારણે સ્તન કેન્સર થઈ શકે છે.
આજકાલ ફળ-શાકભાજી પર પેસ્ટિસાઇડ્ઝ ખૂબ છાંટવામાં આવે છે માટે ઓર્ગેનિક ખોરાક(છાણિયા ખાતર)માંથી બનાવવામાં આવતા ફળ-શાકભાજી ખાવાથી કેન્સર થવાની સંભાવના ઘટે છે.
બને ત્યાં સુધી શાકાહાર ખાવાનો આગ્રહ રાખો.
એનિમલ પ્રોડક્ટ એટલે કે દૂધ અને દૂધની બનાવેલી વસ્તુઓમાંથી બનાવેલા ખોરાક કરતાં ફળ અને શાકભાજીવાળો ખોરાક વધુ પસંદ કરવો જરૂરી છે. દૂધની જગ્યાએ સોયામિલ્ક વાપરી શકાય છે.
બને ત્યાં સુધી વધુ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરો. ફ્લેક્સસીડ્સ, પમ્પકીન સીડ્ઝ, સનફ્લાવર સીડ્ઝ ખાવાનું રાખો.
દિવસ દરમિયાન 10થી 12 ગ્લાસ પાણી પીવો, જેથી કબજિયાતને દૂર રાખી શકાય.
ખાસ કરીને આદુનો રસ, તુલસી, લીંબુ, ગાજર-બીટનો રસ, તાજી હળદરના રસનો વપરાશ વધારો.
દવાઓને લીધે વારંવાર આવતા ઊબકા અને ઊલટીને દૂર રાખવા સૂકવેલું આદું-આમળાં વગેરેનો ઉપયોગ કરો.