કાળા મરી એક બેસ્ટ મસાલો હોવાની સાથે કામની ઔષધી પણ છે. કાળા મરીમાં ફાયબર, વિટામિન સી, કેલ્શિયમ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. જેથી જો તમારી ડાયટમાં પણ કાળા મરીને સામેલ કરવામમાં આવે તો અનેક ફાયદાઓ મળી શકે છે. ચાલો જાણીએ કાળા મરીના ફાયદા અને ઉપાય, જે તમારી કેટલીક સમસ્યાઓને ફટાફટ દૂર કરવામાં મદદ કરશે.
આંખોનું તેજ વધારવા કરો આ ઉપાય
આ કાળા દાણા પેટને બચાવશે રોગોથી
શરીરને અનેક તકલીફો દૂર કરશે આ ઉપાય
આંખોનું તેજ વધારશે
કાળા મરી આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. તેના પ્રયોગ માટે એક ચપટી કાળા મરીનો પાઉડર લઈને તેમાં થોડું શુદ્ધ દેશી ઘી મિક્સ કરીને રોજ તેનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે. સાથે જ આ પ્રયોગ કરવાથી આંખોથી જોડાયેલી બીમારીઓ પણ દૂર થાય છે. સાથે જ નંબર પણ દૂર થાય છે.
પાચન શક્તિ
કાળા મરી પાચક રસ અને એન્ઝાઈમને ઉત્તેજિત કરે છે. જેનાથી પાચન શક્તિ વધે છે. સાથે જ ભોજનની સાથે કાળા મરીનો ઉપયોગ કરવાથી પાચન ક્રિયા મજબૂત બને છે અને ખાધેલો ખોરાક પચાવવામાં પણ મદદ કરે છે. જેથી ડાયટમાં કાળા મરીને સામેલ કરવાથી પાચનને લગતાં રોગોથી બચી શકાય છે.
કેન્સર
અમુક સંશોધન મુજબ કાળા મરીમાં રહેલું પેપરીન કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. પેપરીન આંતરડામાં સેલેનિયમ, કર્ક્યૂમિન, બીટા કેરોટીન અને વિટામિન બી સહિતના અન્ય પોષક તત્વોને એબ્સોર્બ કરવામાં મદદ કરે છે. જે પેટના સારાં સ્વાસ્થ્ય માટે કેન્સર સામે રક્ષણ માટે મદદરૂપ થાય છે.
શરદી-ખાંસી
કાળા મરી શરદી-ખાંસીની સમસ્યામાં પણ લાભ કરે છે. જો કાળા મરી અને મધનું સેવન કરવામાં આવે તો ઈન્ફેક્શન સામે રક્ષણ મળે છે. તેના માટે 1 ચમચી મધમાં પા ચમચી કાળા મરીનો પાઉડર મિક્સ કરીને સેવન કરવાથી ફાયદો મળે છે. સાથે જ તેમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ ગુણ શરીરના ઈન્ફેક્શન સામે પણ રક્ષણ કરવામાં મદદ કરે છે.