જો તમે બેંકમાં લોકર ખોલાવવા ઇચ્છો છો તો બેંક જતા પહેલા જાણી લો લોકર ખોલાવવાના RBIના નક્કી કરેલા નિયમ શું છે. વાસ્તવમાં આરબીઆઇએ નોટિફિકેશન જારી કરીને લોકર્સના નિયમ નક્કી કર્યા છે. આરબીઆઇ નોટિફિકેશન પ્રમાણે કોઇ પણ માણસ કોઇ પણ બેંકમાં ખાતા વગર લોકર ખોલાવી શકે છે. પરંતુ લોકરના ભાડા અને ચાર્જી ની સિક્યોરિટી ડિપોઝીટના નામ પર બેંક તમારું ખાતું ખોલ્યા વગર લોકોર ખોલાવવાના આનાકાની કરે છે. એવામાં તમને સલાહ છે કે એ બેંકમાં ખાતું ખોલો જ્યાં પહેલાથી તમારું સેવિંગ્સ અકાઉન્ટ હોય.
RBI નિયમો પ્રમાણે બેંક લોકરના 3 વર્ષના ભાડા અને કોઇ કારણવશ લોકર તોડાવવા પર ચાર્જ વસૂલ કરવાની અમાઉન્ટ જેટલી FD ખોલવવા માટે બેંક કહી શકે છે. જો કે બેંક કોઇ પણ હાલના લોકર ધારકને FD ખોલાવવા માટે કહી શકે નહીં.
બેંકોમાં લોકર માટે વર્ષનું ભાડું નક્કી છે. સરકારી બેંક એક લોકર માટે વર્ષના 1000 થી 7000ની વચ્ચે ફી લે છે. ખાનગી બેંક 3000 રૂપિયાછી 20 000 રૂપિયાની વચ્ચે ફી લે છે. જો કોઇ કારણથી ઇમરજન્સીમાં લોકર તોડવું પડે તો કસ્ટમર્સને એનો ચાર્જ આપવો પડે છે. લોકરની ચાવી ખોવાઇ જવા પર પણ ચાર્જ આપવો પડે છે.
લોકરની સંખ્યા સીમિત હોવા સુધી બેંક સરળતાથી લોકર આપતા નથી. ઘણી બેંકોમાં તો ઘણા લાંબો વેટિંગ પીરિયજ હોય છે. આરબીઆઇ નિયમોમાં વેટિંગ લિસ્ટ બનાવવા અને લોકલ અલોટમેન્ટમાં પારદર્શિતા રાખવાની જોગવાઇ છે. બેંકોને એવો પણ નિર્દેશ છે કે એ લોકર અલોટમેન્ટના સમયે ગ્રાહકને લોકરના ઓપરેશન્સને લઇને થયેલા એગ્રીમેન્ટની કોપી પૂરી પાડે.
દરેક લોકરની બે ચાવી હોય છે. એક ચાવી ગ્રાહકની પાસે હોય છે. બીજી ચાવી બેંકની પાસે હોય છે. બંને ચાવીઓ લગાવ્યા બાદ જ લોકર ખુલે છે. એનો અર્થ એ છે કે ગ્રાહક જ્યારે પણ લોકર ઓપરેટ કરવા ઇચ્છે એને એની જાણકારી બેંકને પણ આપવી પડશે. વર્ષમાં તમે કેટલી વખત લોકર ઓપરેટ કરશો એનો પણ સમય નક્કી છે.
લોકરમાં રાખેલી ચીજો માટે બેંકો જવાબદાર નથી. ભૂકંપ અથવા પૂર જેવી કુદરતી આપત્તિ આતંકી હુમલો અથવા ચોરી થવા પર બેંક સરળતાથી વળતર આપવાની ના પાડી દે છે.