પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ ખેતરોમાં સોલર પંપ લગાવવા પર સરકાર 60 ટકા સુધીની સબસિડી આપી રહી છે. જાણો આ વિશે વિગતવાર
ખેતરોમાં સોલર પંપ લગાવવા પર સરકાર આપી રહી છે 60 ટકા સુધીની સબસિડી
પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ મળશે આ લાભ
આ યોજનાને સરકારે વર્ષ 2019માં શરૂ કરી હતી
ખેતરોમાં સોલર પંપ લગાવવા પર સરકાર આપી રહી છે 60 ટકા સુધીની સબસિડી
આજે અમે તમને ભારત સરકારની એક મહત્વાકાંક્ષી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સ્કીમનું નામ પ્રધાનમંત્રી કુસુમ યોજના છે. આ યોજનાને સરકારે વર્ષ 2019માં શરૂ કરી હતી. પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ ખેડૂતોને વ્યક્તિગત રીતે સૌર ઉર્જા દ્વારા સંચાલિત ટ્યૂબવેલ પંપ લગાવવા પર 60 ટકા સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. દેશમાં આજે પણ એવા ખેડૂતોની સંખ્યા ઘણી વધારે છે, જે ડીઝલ એન્જિનના માધ્યમથી ખેતરોની સિંચાઇ કરે છે. આવામાં ખેડૂતોને ઘણો ખર્ચ થાય છે. આ યોજનાનાં માધ્યમથી સરકાર ખેડૂતોને ડીઝલ વગર જ સિંચાઇની સુવિધા આપવા માંગે છે. પીએમ કુસુમ યોજનાનું આખું નામ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષામ ઉત્થાન મહાભિયાન યોજના છે. આવો જાણીએ આ સ્કીમ વિશે વિગતવાર.
પ્રધાનમંત્રી કુસુમ યોજના
જો તમે આ યોજનાનો લાભ લઈને પોતાના ખેતરોમાં સૌર પંપ લગાવો છો, આવામાં તમને સરકાર દ્વારા 60 ટકા સુધીની સબસિડી સોલર પંપ લગાવવા પર મળશે. આ ઉપરાંત, સરકાર તમને 30 ટકા સુધીની લોન પણ આપશે.
પીએમ કુસુમ યોજનામાં સૌએ પંપ વિતરણ, સૌર ઉર્જા કારખાનાનું નિર્માણ, ટ્યૂબવેલનું નિર્માણ અને વર્તમાન પંપોનું આધુનિકરણ જેવા ચાર કમ્પોનન્ટ સામેલ છે. પીએમ કુસુમ યોજનાનો લાભ લઈને ખેડૂતો પોતાના ખેતરોમાં સસ્તા દરો પર સોલર પંપ લગાવી શકે છે.
ઓનલાઈન અને ઓફલાઇન બંને પ્રકારે થઈ શકશે રજીસ્ટ્રેશન
જો તમે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં આવેદન કરવા જઈ રહયા છો, તો આવામાં તમને અમુક બાબતો વિશે જાણ હોવી જરૂરી છે. આ યોજનાનો લાભ ખેડૂત, ખેડૂતોનો સમૂહ, ખેડૂત ઉત્પાદક સંગઠન, પંચાયત, એએફપીઓ, સહકારિતા, જળ ઉપયોગકર્તા યૂનિટ ઉઠાવી શકે છે.
પીએમ કુસુમ યોજનામાં તમે ઓનલાઈન અને ઓફલાઇન બંને પ્રકારે આવેદન કરી શકો છો. ઓનલાઈન આવેદન કરવા માટે તમારે પધાનમંત્રી કુસુમ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે. ત્યાર બાદ બધી પ્રોસેસ ફોલો કરીને તમે આ સ્કીમમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશો.