26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીની શરૂઆત થાય છે. જાણો કળશ સ્થાપના માટે શુભ મુહૂર્ત અને પૂજાવિધિ
26 સપ્ટેમ્બરથી શરૂ થશે નવરાત્રી
માં દુર્ગાની પૂજા કરવાથી મળે છે સુખ-સમૃદ્ધિના આશીર્વાદ
અભિજીત મુહૂર્તનો કુલ સમય 48 મિનિટ
26 સપ્ટેમ્બરથી શરૂ થશે નવરાત્રી
પિતૃ પક્ષ બાદ શારદીય નવરાત્રીની શરૂઆત થાય છે. 25 સપ્ટેમ્બરના રોજ પિતૃ અમાસના દિવસે પિતૃઓની વિદાય કરવામાં આવે છે અને 26 સપ્ટેમ્બરના રોજ આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથીએ શારદીય નવરાત્રીની શરૂઆત થાય છે. શારદીય નવરાત્રી માં દુર્ગાને સમર્પિત હોય છે. 9 દિવસો સુધી ચાલનાર આ નવરાત્રીમાં માં દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે 9 દિવસ માં દુર્ગા ધરતી પર ભ્રમણ કરે છે. આ દિવસોમાં સાચા માંથી પૂજા ઉપાસના કરીને માં દુર્ગાની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.
શારદીય નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપના કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કોઈપણ પૂજા અનુષ્ઠાન પહેલા કળશ સ્થાપનાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. દરેક શુભ કાર્યને શુભ સમયમાં કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. આવામાં આજે અમે તમને નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપનાનાં શુભ મુહૂર્ત અને સમય વિશે જણાવશું.
નવરાત્રી પ્રતિપદા તિથી
શારદીય નવરાત્રીની શરૂઆત 26 સપ્ટેમ્બર 2022થી થશે. આ દિવસે તિથિનો પ્રારંભ પ્રાત: 3 કલાક 23 મિનિટથી થશે અને 27 સપ્ટેમ્બર 2022, પ્રાત: 3 કલાક -8 મિનિટ સુધી રહેશે.
અભિજીત મુહૂર્ત
ઘટસ્થાપના અભિજીત મુહૂર્ત - સવારે 11 કલાક 48 મિનિટથી લઈને બપોરે 12 કલાક 36 મિનિટ સુધી. અભિજીત મુહૂર્તનો કુલ સમય 48 મિનિટ છે.
કળશ સ્થાપના
નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપના પહેલા ઘરની ઉત્તર - પૂર્વ દિશા સાફ કરી લો. પછી અહીં માંની ચોકી લગાવો. લાલ રંગનું કપડું પાથરો અને માં દુગાની મૂર્તિ સ્થાપિત કરો. પૂજા શરૂ કરતાં પહેલા ભગવાન ગણેશનું ધ્યાન કરો અને કળશ સ્થાપિત કરો. આ માટે એક નારિયળ લો અને તેના પર ચુંદડી પાથરો. કળશના મુખ પર મૌલી બાંધો. ત્યાર બાદ કળશમાં જળ ભરો અને એક લવિંગની જોડી, સોપારી, હળદરની ગાંઠ અને એક રૂપિયાનો સિક્કો લો. કળશ પર આંબાનાં પાન લગાવો અને તેના પર નારિયળ સ્થાપિત કરો. ત્યાર બાદ આ કળશ માં દુર્ગાની મૂર્તિની જમણી તરફ સ્થાપિત કરો. અને હવે માં દુર્ગાનું આહ્વાન કરો.