પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ; લાભાર્થીના નિધન બાદ તેના વારસદારને યોજનાનો લાભ મળી શકશે.
પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને મળે છે 6000 રૂપિયા
લાભાર્થીના નિધન બાદ વારસદારને મળશે યોજનાનો લાભ
પોર્ટલ પર કરવું પડશે રજીસ્ટ્રેશન
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને 1 વર્ષ દરમિયાન 3 ઇન્સ્ટોલમેન્ટમાં 6000 રૂપિયાની મદદ કરે છે. દરેક ઇન્સ્ટોલમેન્ટમાં 2000 રૂપિયા મળે છે. આ યોજનામાં પરિવારના એક જ સદસ્યને લાભ મળે છે, પણ શું તમે જાણો છો કે જો યોજનાનાં લાભાર્થીનું નિધન થઈ જાય તો આવી સ્થિતિમાં પૈસા કોને આપવામાં આવશે? જણાવી દઈએ કે કિસાન સમ્માન નિધિ યોજનાનાં ત્યાર સુધીમાં 11 હપ્તા અપાઈ ચૂક્યા છે અને 12 મા હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. સપ્ટેમ્બરથી નવેમ્બર મહિના વચ્ચે 2000 રૂપિયાનો 12મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશ સરકારે પીએમ કિસાન યોજનાનાં લાભાર્થીઓના મૃત્યુ થયા બાદ તેમના વારાસદારને યોજનાનો લાભ આપવા માટે ગાઈડલાઇન્સ જાહેર કરી છે. પીએમ કિસાન યોજનાની ભારત સરકાર દ્વારા જાહેર ગાઈડલાઇન્સ અનુસાર, મૃતકનાં વારસદારઅને પીએમ સમ્માન નિધિની યોગ્યતાની અંતર્ગત આવવું પડશે.
પોર્ટલ પર કરવું પડશે રજીસ્ટ્રેશન
લાભાર્થી ખેડૂતના નિધન બાદ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતના વારસદારે અલગથી પોર્ટલમાં ખુદને રજીસ્ટર કરવા પડશે. આ ઉપરાંત, એ પણ તપાસવામાં આવશે કે વારસદાર સરકારની શરતોની અંતર્ગત છે કે નહીં.
આવી રીતે ચેક કરો તમારું નામ
નામ ચેક કરવા માટે કિસાન સમ્માન નિધિની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. ત્યાં તમને Farmers Corner નો ઓપ્શન જોવા મળશે. આ સેક્શનમાં Beneficiaries List પર ક્લિક કરો. ત્યાર બાદ રાજ્ય, જિલ્લા, ઉપ જિલ્લા, બ્લોક તથા ગામનું નામ સિલેકટ કરો. હવે Get Report પર ક્લિક કરો, હવે લાભાર્થીઓનું આખું લિસ્ટ તમારી સામે આવી જશે. આમાં તમે તમારું નામ સરળતાથી ચેક કરી શકશો.
આ હેલ્પલાઈન નંબર દ્વારા મેળવી શકો છો મદદ
સરકારે ખેડૂતો માટે એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ જો તમે અપ્લાય કર્યું છે તો સ્ટેટ્સ જાણવા માટે તમે 155261 પર કોલ કરી શકો છો, આ નંબર દ્વારા તમને બધી જ જાણકારી મળી જશે.