વાળને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે અને જો તમને વાળને લગતી કોઈ સમસ્યા હોય જેમ કે વાળ ખરવા, વાળ સફેદ થવા, ખોડો થવો વગેરે તો તમારી સમસ્યા મુજબ તેલની પસંદગી કરવી જોઈએ. જેથી વાળની આ સમસ્યાઓ દૂર થઈ શકે. ચાલો જાણીએ વાળની કઈ સમસ્યામાં કયું તેલ લગાવવું.
વાળની સમસ્યા પ્રમાણે લગાવો ઓઈલ
વાળને હેલ્ધી રાખવા ઓઈલિંગ કરવું જરૂરી
તમારા માટે કયું ઓઈલ બેસ્ટ છે જાણો
વાળ ખરવાની સમસ્યા માટે આમળાનું તેલ
આમળાના તેલમાં ફેટી એસિડ, વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જે સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને વાળને મજબૂત બનાવે છે. જેથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે.
ખુજલી માટે તુલસીનું તેલ
તુલસીમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. આ વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટનો પણ બેસ્ટ સોર્સ છે. સાથે જ તેમાં રહેલું કૂલિંગ ઈફેક્ટ સોજા અને બળતરાને પણ શાંત કરે છે.
સફેદ વાળ માટે લીમડો અને નારિયેળનું તેલ
મીઠો લીમડો અને નારિયેળ તેલ સ્કેલ્પમાંથી ડેડ સ્કિન દૂર કરે છે અને સ્કેલ્પને પોષણ આપે છે. આ મેલાનિન (જે વાળનો પ્રાકૃતિક રંગ જાળવી રાખે છે) તેને રિસ્ટોર કરે છે. જેનાથી સમય પહેલાં વાળ સફેદ થતાં નથી.
વાળના ગ્રોથ માટે જાસૂદનું તેલ
જાસૂદના તેલમાં એમિનો એસિડ અને વિટામિન સી હોય છે. જેના કારણે વાળના વિકાસમાં મદદ મળે છે. તેનાથી સ્કેલ્પને પોષણ મળે છે અને વાળના વિકાસમાં પણ મદદ કરે છે.